આજે કિંગ્સ અને સનરાઈઝર્સની ટક્કર

મોહાલી : પોતાની છેલ્લી મેચમાં મળેલી હાર બાદ કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો સોમવારે રમાનારી મેચ દ્વારા ફરી એકવાર જીતના ટ્રેક પર પરત ફરવા માગશે. બંને વચ્ચેની આ ટક્કર આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમમાં થશે. કિંગ્સ ઈલેવન અને સનરાઈઝર્સને પોતપોતાની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમોની હારમાં સમાનતા એ હતી કે, તેમણે ટાર્ગેટ ચેઝ કરતા હાર સહન કરી હતી.
3-3 મેચો જીતી છે બંને ટીમો

પંજાબની અત્યાર સુધી લીગની સફર મિશ્રિત રહી છે. તેણે પાંચ મેચોમાં ત્રણ જીત છે જ્યારે બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદદે પણ પાંચમાંથી ત્રણમાં જીત મેળવી છે જ્યારે બેમાં તેને હાર મળી છે.
બંને ટીમોનો રેકોર્ડ એક જેવો

KXIP અને SRH બંનેને તેમના છેલ્લા મુકાબલામાં હાર સહન કરવી પડી. હૈદરાબાદને મુંબઈ જ્યારે પંજાબને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સે હરાવી. પંજાબની ટીમ ગત મેચમાં લોકેશ રાહુલ અને સરફરાઝ ખાનની શાનદાર ઈનિંગ્સ છતાં 161 રન બનાવી શકી નહોતી જ્યારે હૈદરાબાદ પોતાના હોમગ્રાઉન્ડ પર માત્ર 137 રનના ટાર્ગેટને ચેઝ કરી શકી નહોતી અને 96 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Kuejh0
No comments:
Post a Comment