મુંબઈમાં મિટિંગ
નવી દિલ્હીઃ ઈગ્લેન્ડની યજમાનીમાં યોજાનારા આગામી ક્રિકેટ વિશ્વકપ માટે તા. 15 એપ્રિલના રોજ આઈસીસી વિશ્વકપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સિનિયર સિલેક્શન કમિટી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ માટે આગામી સોમવારે મુંબઈમાં એક બેઠક કરશે. TOI સાથે થયેલા વાતચીતના આધારે વિરાટ સાથેની બેઠક બાદ વિશ્વકપ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ ટીમ વચ્ચે પ્રથમ મેચ

વિશ્વકપ ટુર્નામેન્ટની પ્રથમમેચ ઈગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે તા. 30 મેના રોજ યોજાશે. જ્યારે ફાયનલ મેચ તા. 14 જુલાઈના રોજ યોજાશે. બે વખત વિશ્વકપ જીતી ચૂકેલી ભારતીય ટીમ હાલમાં નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ, ચોથા ક્રમે ક્યા ખેલાડીને તક આપવામાં આવે તે મુદ્દો સોમવારે યોજાનારી બેઠકમાં ચર્ચાશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની પ્રથમમેચ તા. 5જૂનના રોજ આફ્રિકા સામે રમશે.
અગાઉ પણ થઈ હતી આ જાહેરાત

અગાઉ સમગ્ર ટીમ તા. 23 એપ્રિલના રોજ જાહેર થવાની હતી. પરંતુ, બીસીસીઆઈએ આ જાહેરાત વહેલી કરી દેવાનો નિર્ણય લીધો હતો. એટલે એ તારિખના આઠ દિવસ પહેલા વિશ્વકપ માટેની ભારતીય ટીમની જાહેરાત થશે. હાલમાં વિરાટ કોહલી આઈપીએલ ટુર્નામેન્ટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે, યોગ્ય રીતે ટીમની પસંદગી થાય તો બેસ્ટ ખેલાડીઓને રમવાની તક મળે છે.
IPLનું પર્ફોમન્સ માન્ય નથી

પ્રસાદે ઉમેર્યું હતું કે, વિશ્વકપની ટીમ માટે ખેલાડીઓનું આઈપીએલનું પર્ફોમન્સ માન્ય રાખવામાં આવતું નથી. કોઈ ખેલાડીને લઈને અગાઉથી કોઈ પ્રકારની પૂર્વધારણા બાંધવામાં આવી નથી. અગાઉ સમિતીએ 20 ખેલાડીઓના નામ ફાયનલ કર્યા હતા. જેમાંથી હવે 15 ખેલાડીઓની પંસદગી કરવામાં આવશે. આગઉ વિરાટ કોહલીએ પણ એ વાત કહી હતી કે, ઈગ્લેન્ડમાં પરિસ્થિતિ બિલકુલ અલગ હોવાને કારણે આઈપીએલનું પર્ફોમન્સ માન્ય નથી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2UI31JE
No comments:
Post a Comment