Latest

Monday, April 8, 2019

દેવી ભવાનીને પ્રસન્ન કરવા અહીં એકબીજા પર અગનગોળા ફેંકે છે ભક્તો

ક્યાં આવેલું છે આ મંદિર

માત્ર દક્ષિણ જ નહીં દેશના કોઈ પણ ભાગમાં આવેલા મંદિરની એક ચોક્કસ પરંપરા હોય છે. એ મંદિર સાથે કેટલીક રોચક અને રોમાંચક કથાઓ જોડાયેલી હોય છે. આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમાન મંદિરમાં ભક્તો અનેક સાહસપૂર્ણ પ્રવૃતિઓ કરતા હોય છે. પરંતુ, મેંગ્લોરમાં આવેલા એક મંદિરમાં ચૈત્રી નવરાત્રીના દિવોસમાં એક ઉત્સવ મનાવાય છે જેનું નામ છે અગ્નિકેલી ફેસ્ટિવલ. દુર્ગા પરમેશ્વરીના આ મંદિરમાં ભક્તો એકબીજા પર અગનગોળા ફેંકે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આઠ દિવસ સુધી ઉજવાય છે ઉત્સવ

આ પરંપરા આઠ દિવસ સુધી યથાવત રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પરંપરા આજકાલની નથી પણ વર્ષોથી ચાલતી આવી છે. આ ખેલ આતુર અને કલત્તુર નામના બે ગામના લોકો વચ્ચે રમાય છે. સૌ પ્રથમ દેવીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં અનેક ભક્તો શ્રદ્ધાથી જોડાય છે. ત્યાર બાદ સૌ કોઈ તળાવમાં આસ્થાની ડૂબકી લગાવે છે. ત્યાર બાદ જુદા જુદા ગ્રૂપ બને છે. જે નારિયરના છોલમાંથી બનેલી એક મશાન લઈને તૈયાર રહે છે. સામસામે ગ્રૂપ તૈયાર થઈ ગયા બાદ ખેલ શરુ થાય છે.

એકબીજા પર આગ ફેંકાય છે

આમ થયા બાદ સામસામે આવેલા બે ગ્રૂપ એકબીજા પર નાળિયરના છોલમાંથી બનેલાગોળાને એકબીજા પર ઘા કરે છે. આશરે 15 મિનિટ સુધી આ ખેલ ચાલુ રહે છે. કોઈ એક શખસ માત્ર પાંચ વખત અગ્નિનો ઘા કરી શકે છે. પાંચ વાર થયા બાદ તે ગ્રૂપમાંથી દૂર થઈ જાય છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ ખેલ કરવામાં આવે છે. વધુ એક માન્યતા સ્થાનિકો કહે છે કે, આ ખેલમાં ભાગ લેવાથી દેવીમા તમામ દુઃખનું નીવારણ કરી દે છે.

કથા-નાટક

આ મંદિરમાં એક રંગમંચ કેન્દ્ર છે. જ્યાં દુર્ગા પરમેશ્વરીના જુદા જુદા સ્વરુપોની કથા કહેવામાં આવે છે. આ સિવાય નાટકરુપે દરેક કથાની રજૂઆત પણ કરવામાં આવે છે. નવેમ્બર મહિનાથી આ કથાની શરુઆત થાય છે. ભારત સિવાય વિદેશોમાં પણ આ ગ્રૂપ દેવીકથાના અનેક સ્વરુપની રજૂઆત કરે છે.

 



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2OYwGsF

No comments:

Post a Comment

Pages