જેટની બરબાદીનો કોને ફાયદો મળશે?

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વિમાન સેવા કંપની ઈન્ડિંગો હવે ભારતના આસમાન પર રાજ કરવા તરફ આગળ વધી રહી છે. તેની કોમ્પિટિટર એરલાઈન્સ જેટ એરવેઝની બરબાદીનો સૌથી વધારે ફાયદો ઈન્ડિગો એરલાઈન્સને મળશે. આ ક્ષેત્રના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું, “જેટની અધોગતિનો સૌથી વધુ ફાયદો ઈન્ડિગો એરલાઈનને મળશે. આનાથી ઈન્ડિગોને એર ટ્રાફિકનો વધુ હિસ્સો મળશે. આવનારા સમયમાં અને વર્ષોમાં તેની ક્ષમતા વિસ્તરશે.”
ઈન્ડિગોનો હિસ્સો વધારેઃ

PWC પાર્ટનર ધીરજ માથુરે જણાવ્યું જેની પાસે સૌથી વધારે વિમાન અને ચાલક દળ હશે તેને સૌથી વધુ ફાયદો મળશે. ઈંડિગો પાસે અત્યારે 200 વિમાન છે અને તે રોજની 1400 જેટલી ફ્લાઈટ્સ ઉડાવે છે. આ ઉડાન 53 સ્થાનિક અને 18 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે છે. સ્થાનિક બજારમાં ઈન્ડિગોનો હિસ્સો અત્યારે 43.4 ટકા છે અને તેને વિસ્તારવાની યોજના જોરશોરથી ચાલી રહી છે.
સ્પાઈસ જેટ પણ ફાયદામાંઃ

ઈન્ડિગો પછી બીજા નંબરે જો કોઈને સૌથી વધારે ફાયદો થશે તો તે છે સ્પાઈસ જેટ. બાકીની એરલાઈન્સને તેમના કદ અને માર્કેટ શેર મુજબ લાભ મળશે. સ્પાઈસ જેટ પછી ગો એર, વિસ્તારા, એર એશિયા જેવી વિમાન સેવા કંપનીઓને લાભ મળી શકે છે. સસ્તી વિમાનસેવા ક્ષેત્રે સ્પાઈસ જેટ ઈન્ડિયામાં બીજી સૌથી મોટી કંપની છે. તેનો માર્કેટ શેર 13.7 ટકા જેટલો છે. તેની પાસે 48 બોઈંગ 737, 27 બોંબારડિયર ક્યુ-400 અને એક બી-737 માલવાહક વિમાન છે.
એર ઈન્ડિયા ફાયદો ઊઠાવશે?

સ્પાઈસ જેટે ગુરુવારે કહ્યું કે બે અઠવાડિયામાં તે 27 વિમાન પોતાના બેડામાં શામેલ કરી લેશે. એર ઈન્ડિયા આનો ફાયદો ઉઠાવનારી ત્રીજી સૌથી મોટી કંપની બની જશે. ઉડ્ડયન ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મજુબ એરલાઈન આટલા જલ્દી વિમાનની સંખ્યા વધારે તે શંકાસ્પદ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2XxkTF3
No comments:
Post a Comment