Latest

Monday, April 1, 2019

પૈસાની ખેંચ રહેતી હોય તો કરો કાળ ભૈરવના આ મંત્રનો જાપ, જલ્દી મનોકામના પૂરી થશે

શિવજીનું રૂપ છે કાળ ભૈરવઃ

એવું મનાય છે કે કાળ ભૈરવ શિવજીનું સ્વરૂપ છે. તેમની પૂજા કરવાથી તમને ડર નથી સતાવતો. કાળ ભૈરવ તમારુ રક્ષા કવચ બની રહે છે. જો તમે શનિ, રાહુ જેવા પાપી ગ્રહોથી પરેશાન છો, ગરીબી તમારો પીછો નથી છોડતી, કોઈ શારીરિક, આર્થિક, માનસિક સમસ્યાનો શિકાર છો તો તમારે કાળ ભૈરવને પ્રાર્થના કરવી જોઈએ. એવું કહેવાય છે કે કાળ ભૈરવથી કાળ પણ ડરે છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

કાળ ભૈરવના ભક્તોનું વિશેષ સ્થાનઃ

કાળ ભૈરવને શિવજીનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માગશર મહિનાની કૃષ્ણ પક્ષ આઠમની તિથિએ કાળ ભૈરવ પ્રગટ થયા હતા. આ માટે તેને કાળ ભૈરવ અષ્ટમી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે કાળ ભૈરવની પૂજા અર્ચના કરે છે તેના પાછળના જન્મ અને આ જન્મમાં કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુ પછી કાળ ભૈરવના ભક્તોને શિવલોકમાં સ્થાન મળે છે.

ભક્તોનું રક્ષણ કરે છે કાળ ભૈરવઃ

એવું મનાય છે કે જે વ્યક્તિનું કાશીમાં મૃત્યુ થાય છે તેને યમદૂત પોતાની સાથે નથી લઈ જઈ શકતા. ત્યાં યમનું શાસન નથી ચાલતું. એ જ રીતે કાળ ભૈરવની પૂજા કરનાર વ્યક્તિ પર કોઈ ભૂત, પિશાચ હાવી નથી થઈ શકતા. જાણો કેવી રીતે તમે કાળ ભૈરવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો.

આ છે વિધિઃ

કાળ ભૈરવ અષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યા પછી કાળ ભૈરવના મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરો. તેમને બ્લુ રંગના ફૂલ ચડાવો. ખાસ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો કોઈપણ દિવસે જૂના કાળ ભૈરવ મંદિરમાં જઈ ત્યાં સાફ સફાઈ કરો. કાળ ભૈરવને સિંદૂર ચડાવો. શનિવારે રાત્રે બાર વાગ્યે ભૈરવ મંદિરમાં જઈ દહીં અને ગોળનો ભોગ ડાવો. ભૈરવ યંત્રની ઘરે સ્થાપના કરી નિયમિત પૂજા કરો.

આ સમયે મળે છે વિશેષ ફળઃ

ગુપ્ત નવરાત્રિના દિવસોમાં કાળ ભૈરવની સાધના વધુ ફળદાયી નીવડે છે. ઘણીવાર એવું પણ થાય છે કે કોઈ સાધક કાળ ભૈરવની સાધનામાં વધારે લીન થઈ જાય તો કાળ ભૈરવ તેના શરીરમાં પ્રવેશ કરી જાય છે. કાળ ભૈરવને પોતાના શરીરમાં બોલાવવા માટે आयाहि भगवन रुद्रो भैरवः भैरवीपते। प्रसन्नोभव देवेश नमस्तुभ्यं कृपानिधि। મંત્રનો જાપ કરો. આ બાદ સંકલ્પ કરો કે હું કાળ ભૈરવને મારા શરીરમાં લાવવાનો પ્રયોગ કરુ છું. આરાધના કરવા માટે આ મંત્ર જાપ કરશો તો મનોકામના જલ્દી પૂરી થશે અને કાળ ભૈરવ પ્રસન્ન થશે.

1.ॐ कालभैरवाय नमः।

2.ॐ भयहरणं च भैरवः।

3.ॐ हीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय हीं।

4.ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नमः।

5.ॐ भ्रां कालभैरवाय फट्।

આટલું ચડાવોઃ

કાળ ભૈરવને પ્રસન્ન કરવા તેમના મંદિરમાં જઈને મદિરા, અડદ, દૂધ, ફૂલ વગેરે ચડાવી બાબા ભૈરવને પ્રસન્ન કરી શકો. આ ઉપરાંત કોઈપણ ઉપરી બાધાથી પણ છૂટકારો મળી શકે છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2VgMFEM

No comments:

Post a Comment

Pages