જાણો હવે કોને મળી રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ

આઈપીએલની 12મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમને અત્યાર સુધીની 8 મેચમાંથી માત્ર 2 મેચમાં જીત પ્રાપ્ત થઈ છે. આઈપીએલની હાલની સીઝનમાં રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શન બાદ અજિંક્ય રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને બચેલી મેચો માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સની ટીમે શનિવારના રોજ એક નિવેદન જાહેર કરીને આ અંગેની જાણકારી આપી.
હવે કંઈક નવું કરવાની જરૂર છે

ટીમે તેના નિવેદનમાં કહ્યું કે અજિંક્ય રહાણેએ ગત વર્ષે પ્લેઓફ સુધી ટીમની સફરમાં સારી ભૂમિકા ભજવી. પરંતુ, ફ્રેન્ચાઈઝીને લાગે છે કે હવે કંઈક નવું કરવાની જરૂર છે. સ્ટીવ સ્મિથ હંમેશાં રાજસ્થાનની ટીમના નેતૃત્વનો ભાગ રહ્યો છે અને રહાણે તેની સાથે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
રાજસ્થાન રોયલ્સને અત્યાર સુધી 2 મેચમાં જીત મળી છે

આઈપીએલ સીઝન 12માં રાજસ્થાન રોયલ્સને અત્યાર સુધી 8માંથી 2 મેચમાં જીત મળી છે. જો પોઈન્ટની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 4 અંકોની સાથે કુલ 8 ટીમોની યાદીમાં 7માં સ્થાન પર છે.
રહાણે આગળ પણ ટીમની મહત્ત્વની ભૂમિકામાં રહેશે

રાજસ્થાન રોયલ્સના હેડ ઓફ ક્રિકેટ ઝુબિન ભરૂચાએ કહ્યું કે અજિંક્ય રહાણેએ વર્ષ 2018માં ટીમનું નેતૃત્વ કર્યું અને તે આગળ પણ ટીમ માટે મહત્ત્વની ભૂમિકામાં રહેશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ આ પહેલા પૂના સુપરજાયન્ટના પણ કેપ્ટન રહી ચૂક્યા છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Grl7Xd
No comments:
Post a Comment