બ્રાયન લારાની ભવિષ્યવાણીઃ

કે.શ્રીનિવાસ રાવ, મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાનું માનવું છે કે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા અને વર્લ્ડ કપની હોસ્ટ ઈંગલેન્ડ ચોક્કસરૂપે વર્લ્ડકપની સેમીફાઈનલ સુધી પહોંચશે. તેમણે પોતાના દેશની ટીમ એટલે કે વેસ્ટ ઈન્ડિઝને પણ હળવામાં ન લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા બે વખતથી વર્લ્ડ કપ (T20)માં વેસ્ટ ઈન્ડિઝે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવા્યા છે. આ એક એવી ટીમ છે જેની સામે પડેલી ટીમ મેચ શરૂ થતા પહેલા એ નથી વિચારતી કે મેચ સરળતાથી પૂરી થઈ જશે.
ઈન્ડિયા-ઈંગલેન્ડ સેમીફાઈનલમાં પહોંચશેઃ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં લારાએ કહ્યું, “ઈંગલેન્ડ અને ભારત ચોક્કસ રીતે સેમીફાઈનલમાં પહોંચશે. મેં સામાન્ય રીતે ક્યારેય ઈંગલેન્ડનું સમર્થન કરવાનું જોખમ નથી ઊઠાવ્યું કારણ કે તે ક્યારેય મોટી મેચ જીતવામાં સફળ નથી રહ્યા. પરંતુ આ ટીમ સારી લાગે છે. મારુ માનવું છે કે ઈંગલેન્ડ અને ભારત સેમીફાઈનલમાં આવશે.” વન ડે વર્લ્ડ કપ ઈંગલેન્ડ અને વેલ્સમાં 30થી 14 જુલાઈ દરમિયાન રમાશે.
આ બે ખેલાડીઓ વિષે પણ કરી ટિપ્પણીઃ

સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરના કમ બેક પછી વર્લ્ડ કપની શક્યતાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું, “આ બંને ટીમના ટોપ પરફોર્મર રહ્યા છે. બંનેની વાપસી ખિલાડીના રૂપે થઈ રહી છે. પરંતુ મારા ખ્યાલથી જો તે કેપ્ટન અને વાઈસ કેપ્ટન તરીકે કમબેક કરત તો વધુ સારુ રહેત.”
રિષભ પંતને આપી સલાહઃ

આ દરમિયાન તેમણે રિષભ પંતને વધુ જવાબદાર બનવાની સલાહ આપી હતી. તેમણે યુવાન વિકેટકીપર અને બેટ્સમેનના વખાણ કરતા કહ્યું, “તેમનામાં ક્ષમતા છે. તે આકરા સમયમાં સિક્સ મારી શકે છે. પરંતુ સનરાઈઝર્સ હૈદ્રાબાદની વિરુદ્ધ જે રીતે તે આઉટ થયો તે ચોંકાવનારુ હતું. આશા છે કે તે આમાંથી શીખ લેશે અને જવાબદારી સમજશે.” તેમણે કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UpcuRX
No comments:
Post a Comment