Latest

Tuesday, April 16, 2019

બંધ થવાને આરે પહોંચેલી જેટ એરવેઝનો શેર કેમ અડીખમ છે?



68900095

આશુતોષ આર શ્યામ/રાજેશ એન નાઇડુ

ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપ

જે કંપનીઓ લોન ભરતી નથી, ખરાબ રીતે બિઝનેસ કરે છે અને ટકી રહેવા માટે નક્કર પગલાં લેતી નથી તેવી કંપનીના શેરને શેરબજારો ક્યારેય માફ નથી કરતાં. પરંતુ જેટ એરવેઝના શેરમાં આ પરંપરાથી વિપરિત સ્થિતિ જોવા મળી છે. છેલ્લાં છ મહિનાથી જેટ એરવેઝની સ્થિતિ ડામાડોળ ચાલી રહી છે અને એરલાઇન ગમે ત્યારે બંધ થવાના આરે પહોંચી ગઈ છે, છતાં છેલ્લાં બે સપ્તાહમાં તેના શેરનો ભાવ વાસ્તવમાં 2.82 ટકા વધ્યો છે અને તેની માર્કેટ-કેપ ₹3,000 કરોડની આસપાસ જળવાઈ રહી છે.

કંપનીના ભવિષ્યનું ચિત્ર જ સ્પષ્ટ નથી અને પરિસ્થિતિ અત્યંત કથળવા છતાં તેની અસર શેર પર શા માટે નથી પડતી? કદાચ આ સવાલનો જવાબ જેટ એરવેઝની ફાઇનાન્સની જરૂરિયાત અંગે લેન્ડર્સે આપેલી પ્રતિક્રિયામાં તથા બજારે ફંડિંગ ડીલ અંગે કેળવેલી સમજમાં છુપાયેલો છે.

કિંગફિશર એરલાઈન્સ જ્યારે 2012માં આવી જ સ્થિતિમાં પહોંચી ગઈ હતી ત્યારે તેની માર્કેટ-કેપ 75 ટકા ઘટી હતી. હવે જેટ એરવેઝની વાત કરીએ તો, લેન્ડર્સે 25 માર્ચે તેના ઋણને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી તેનાં છ મહિના પહેલાં શેર 10 ટકા ઘટ્યો હતો. પરંતુ 25 માર્ચથી શેર 2.82 ટકા વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે, જેટ એરવેઝનો શેર વન-યર ફોરવર્ડ ધોરણે એરલાઇન માર્કેટની નં.1 ઈન્ડિગોના શેર કરતાં માત્ર 23 ટકા ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો છે.

આ સૂચવે છે કે, જેટ એરવેઝના હચમચી ગયેલાં ફંડામેન્ટલ્સ અને બજારની ધારણા વચ્ચે નોંધપાત્ર તફાવત છે. 120 વિમાનોનો કાફલો ધરાવતી જેટ એરવેઝ પાસે અત્યારે માત્ર 7થી 8 વિમાન છે અને જે કંપનીઓ વિમાન ભાડે આપે છે તેણે બધા વિમાન પાછા ખેંચી લીધા છે.

દલાલ સ્ટ્રીટે એ‌વી ધારણા બાંધી છે કે, લેન્ડર્સે પ્રતિ શેર ₹250ના કન્વર્ઝન ભાવે જેટના ઋણને 11.2 કરોડ નવા શેર્સમાં કન્વર્ટ કર્યા છે અને આ ધારણાને કારણે જ જેટ એરવેઝના શેરના ભાવને ટેકો મળ્યો છે. બજાર એવું માની રહ્યું હોય તેવું લાગે છે કે, ₹250ના ભાવે કન્વર્ઝન થયું છે અને લેન્ડર્સે એરલાઇનનું ₹2,800 કરોડનું દેવું માંડવાળ કર્યું છે. આથી, બજારને જેટ એરવેઝનો વર્તમાન બજારભાવ વાજબી લાગે છે. ઉપરાંત, લેન્ડર્સ દ્વારા નાખવામાં આવનારા ₹1,500 કરોડ કંપનીના ભવિષ્યને બદલવા માટે અપૂરતું છે. આજની તારીખ સુધી એ જાણી શકાયું નથી કે, જેટનું કેટલું દેવું માંડવાળ થયું છે અને કેટલું દેવું ઇક્વિટીમાં કન્વર્ટ થયું છે.

બીજું એક કારણ કિલોમીટર દીઠ ઉપલબ્ધ સીટની ક્ષમતા છે. બજારે ચાલુ નાણાકીય વર્ષ માટે આ ક્ષમતા 2017-’18 કરતાં 33-35 ટકા નીચી ધારી લીદી છે. આમ, માત્ર સાત વિમાન ઉડાડી રહેલી જેટ માટે આ ક્ષમતા પ્રમાણમાં સારી કહેવાય. આંતરિક યોજના મુજબ, લેન્ડર્સ તો માત્ર 26 વિમાનનો કાફલો રાખીને એરલાઇન ચાલુ રાખવાની યોજના ધરાવે છે. એટલે કે, દલાલ સ્ટ્રીટે તો કેટલાક નેગેટિવ પરિબળને ઘણા અંશે ડિસ્કાઉન્ટ કરી લીધા છે.

2018-’19ના પ્રથમ નવ મહિનામાં જેટ એરવેઝની સંચયી ખોટ ₹2,700 કરોડ હતી.

જેટ એરવેઝના કાઉન્ટરમાં સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી નજીવી રહી છે પરંતુ શોર્ટ-ટર્મ વ્યૂ ધરાવતા રોકાણકારોએ તેમાં બાય અને સેલની સારી તક શોધી લીધી છે. છેલ્લાં એક વર્ષમાં જેટ એરવેઝના કાઉન્ટરમાં પડેલા સોદાની ડિલિવરી ટકાવારી 11 ટકાથી ઓછી હતી જ્યારે નિફ્ટીની ડિલિવરી પર્સેન્ટેજ 36 ટકા આસપાસ હતી. આ દર્શાવે છે કે, લોંગ-ટર્મ ઇન્વેસ્ટર્સે જે જગ્યા ખાલી કરી હતી એ જગ્યા કદાચ ડે-ટ્રેડર્સે ભરી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2KDQSS9

No comments:

Post a Comment

Pages