મેચ બાદ કોહલીએ સ્વીકાર્યું, ધોનીએ ‘ડરાવી’ દીધા હતા

બેંગલુરુ: અનહોનીને હોની કરવાની મહેન્દ્ર સિંહ ધોનીની કળાથી વાકેફ વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, રવિવારે તેની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની ફટકાબાજી જોઈને તે ખરેખર ‘ડરી’ જ ગયો હતો.
1 રનથી હારી ગયું CSK

ધોનીએ 48 બોલમાં અણનમ 84 રન બનાવ્યા, જેમાં તેણે 5 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા. ચેન્નઈને છેલ્લી ઓવરમાં જીત માટે 26 રન જોઈતા હતા જેની સામે ધોનીએ પ્રથમ પાંચ બોલમાં 24 રન ઝૂડી નાખ્યા હતા પણ છેલ્લા બોલે સંપર્ક ન થતા તે રન માટે દોડ્યો હતો અને શાર્દુલ ઠાકુર રનઆઉટ થયો હતો જેના કારણે તેની ટીમ એક રનથી હારી ગઈ હતી.
એકદમ નજીકના અંતરથી જીતી સારું લાગ્યું : કોહલી

કોહલીએ મેચ બાદ જણાવ્યું કે, ‘આટલા ઓછા અંતરથી મેચ જીતીને સારું લાગી રહ્યું છે. અમે સાધારણ અંતરથી હાર્યા પણ છીએ. MSએ તે જ કર્યું જેમાં તે માહેર છે. તેણે અમને બધાને ડરાવી દીધા હતા. છેલ્લા બોલ સુધી મને નહોતું લાગતું કે, અમે જીતીશું. એટલી લાગણીઓ ઉમટી રહી હતી.’
યુવા નવદીપ સૈનીની કરી પ્રશંસા

કોહલીએ યુવા બોલર નવદીપ સૈનીની પ્રશંસા કરી જે વન-ડે વર્લ્ડકપ માટે પાંચ સ્ટેન્ડબૉય પૈકીનો એક છે. તેણે કહ્યું કે, ‘ચેન્નઈ જેવી ટીમ વિરુદ્ધ તેણે ઉમદા પ્રદર્શન કર્યું. અમે 19મી ઓવર સુધી સારી બોલિંગ કરી હતી. સૈનીની આ પ્રથમ સિઝન છે અને તેનું પ્રદર્શન પ્રશંસાને લાયક છે.’ હજુ પણ પ્લેઑફ માટે RCBની રાહ આસાન નથી. તેને ચારેય મેચો જીતવા ઉપરાંત બાકીની મેચોમાં પણ સકારાત્મક પરિણામોની આશા રાખવી પડશે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2GBs899
No comments:
Post a Comment