Latest

Tuesday, April 9, 2019

અમદાવાદ: આગ લાગ્યા બાદ પ્રહલાદનગરનું દેવ ઓરમ કોમ્પ્લેક્સ સીલ કરી દેવાયું

અમદાવાદ: સોમવારે આગ લાગ્યા બાદ કોર્પોરેશને દેવ ઓરમ કોમ્પ્લેક્સને સીલ મારી દીધું છે. આગ લાગી ત્યારે બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ યોગ્ય રીતે ચાલતી ન હોવાનું બહાર આવ્યા બાદ કોર્પોરેશને દેવ ઓરમના ત્રણેય બ્લોકને સીલ મારી દીધા છે, જેમાં 280 યુનિટ્સ આવેલા છે. જોકે, સીલ મારવા પહોંચેલી કોર્પોરેશને એટલી ઉતાવળ દાખવી હતી કે કોમ્પ્લેક્સમાં આવેલી એક રેસ્ટોરાંનો સ્ટાફ અંદર જ હતો તેમ છતાંય તેને સીલ કરી દેવાઈ હતી.

હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો

દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં સોમવારે બપોરના અરસામાં અચાનક આગ લાગી હતી. જેના કારણે બિલ્ડિંગમાં 100થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ લેવા માટે ચાર ફાયર ટેન્કર અને 43 લાશ્કરોના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર ધસી ગઈ હતી. આગ પર કાબૂ લેવા માટે 50,000 લીટર પાણીનો મારો ચલાવાયો હતો, અને ઉપરના માળો પર આવેલી ઓફિસોમાં ફસાયેલા 100 લોકોને બચાવાયા હતા.

આગ લાગી ત્યારે બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ પણ માત્ર શોપીસ સાબિત થઈ હતી. ફાયર સેફ્ટી અલાર્મ પણ ન વાગતા આગની વહેલી તકે જાણ નહોતી થઈ શકી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રીક ડકને કાચથી કવર કરી લેવામાં આવી હતી. તે ક્યાંયથી ખૂલ્લી ન હોવાના કારણએ ધૂમાડો અને આગની ગરમી બહાર નહોતા નીકળી શક્યા, અને તેણે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Kmfyyx

No comments:

Post a Comment

Pages