અમદાવાદ મેટ્રોની મુસાફરીનો આનંદ

દીપાલી છટવાની, અમદાવાદ: અમદાવાદના આ બળબળતા ઉનાળામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર્સ મલ્હાર ઠાકર અને આરોહી પટેલે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી. બંને એક્ટર્સે સામાન્ય પેસેન્જર્સની જેમ જ 10 રૂપિયાની ટિકિટ ખરીદી અને મેટ્રોમાં બેઠા. મેટ્રોમાં અન્ય પેસેન્જર્સ સાથે સેલ્ફી લીધી. માર્ચ મહિનામાં આ એક્ટર્સે મેટ્રોની મુસાફરી કરી હતી. બપોરે 2.45 કલાકે અમદાવાદના આકાશમાં સૂરજ તપતો હતો ત્યારે વસ્ત્રાલમાં શરૂ થયેલા શહેરના પ્રથમ મેટ્રો સ્ટેશન પર નજારો જ જુદો હતો. 4 માર્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય હોદ્દેદારો સાથે વસ્ત્રાલ ગામથી અમદાવાદ મેટ્રોની પ્રથમ મુસાફરી કરી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ફેન્સથી ઘેરાયા ઢોલિવુડના એક્ટર્સ

બપોરે 3.02 કલાકે મલ્હાર અને આરોહી મેટ્રોની પહેલી મુસાફરી કરવા માટે તૈયાર હતા. અચાનક જ સ્ટેશન પર રહેલા લોકોને આ બંને કલાકારો ત્યાં હાજર હોવાનો અહેસાસ થયો. પછી શું? ઢોલિવુડના કલાકારો ફેન્સથી ઘેરાઈ ગયા અને સેલ્ફી માટે પડાપડી કરવા લાગ્યા. બપોરે 3.07 કલાકે મલ્હાર અને આરોહીએ ફેન્સ સાથે સેલ્ફી લેવાનો ‘કાર્યક્રમ’ પૂરો કર્યો અને બંને મેટ્રો રાઈડ માટે તૈયાર થઈ ગયા. બપોરે 3.10 કલાકે મેટ્રોના એર કન્ડિશન્ડ કોચમાં મુસાફરી શરૂ થઈ. મોટી કાચની બારીઓમાંથી આપણું અમદાવાદ અત્યંત આકર્ષક લાગતું હતું.
મલ્હારે કહ્યું, ગર્વની લાગણી થઈ

મેટ્રોમાંથી બહાર દેખાતા અમદાવાદના નજારા જોતાં મલ્હારે કહ્યું, “જ્યારે તમે પોતાના શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરો ત્યારે ગર્વની લાગણી થાય છે. શહેરની પ્રગતિને જોઈને આનંદ થાય છે. મુંબઈ અને દિલ્હીની મેટ્રોમાં કરેલી મુસાફરી અમદાવાદ મેટ્રોમાં સફર કરતી વખતે યાદ આવી ગઈ. એમ્સ્ટર્ડમ અને મેલબર્નમાં પણ મેટ્રોની મુસાફરી કરી હતી અને એ અનુભવ પણ યાદગાર હતા.”
ચોખ્ખા અને આરામદાયક કોચના કર્યા વખાણ

હેક્ટિક શૂટિંગના દિવસો પછી મેટ્રોમાં મુસાફરી કરવા આવેલી આરોહી એકદમ ખુશ જણાતી હતી. આરોહીએ કહ્યું, “હું મુંબઈની મેટ્રોમાં બેઠી છું. પણ મારા પોતાના શહેરમાં કરેલી મેટ્રોની મુસાફરી હંમેશા ખાસ રહેશે. આ ક્ષણ મને ગૌરાન્વિત અમદાવાદી બનાવે છે.” બપોરે 3.38 કલાકે એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નજીક પહોંચ્યા. આરોહી અને મલ્હાર અમદાવાદ મેટ્રોના ચોખ્ખા અને આરામદાયક કોચના વખાણ કરતાં ન થાક્યા. તેમને આશા છે કે, અમદાવાદીઓ મેટ્રોની જાળવણી પ્રત્યે પૂરતું ધ્યાન આપશે.
‘સૌથી સ્વચ્છ મેટ્રોનું ટેગ મળે તેવી આશા’

આરોહીએ કહ્યું, “મેટ્રો ટ્રાન્સપોર્ટેશન માટેનું અદ્ભૂત સાધન છે- સ્વચ્છ અને સગવડભર્યું. અમને આશા છે કે થોડા વર્ષો પછી પણ મેટ્રોની આ જ ક્ષમતા અને સ્વચ્છતા જળવાઈ રહેશે અને આ જવાબદારી આપણા સૌ પર છે. આ સર્વિસ સુચારુરૂપે ચાલે તે માટે આપણે સૌએ પ્રયાસ કરવાનો છે.” મલ્હારે આરોહીની વાતને સમર્થન આપતાં કહ્યું, “પબ્લિક ટ્રાન્સપોર્ટના ઘણાં સાધનોની વચ્ચે આપણે નસીબદાર છીએ કે આપણા શહેરમાં મેટ્રો છે. આનાથી લોકોનું જીવન સરળ થશે અને પરેશાની વિના મુસાફરી કરી શકાશે. હું ખરેખર ઈચ્છું છું કે, ભવિષ્યમાં અમદાવાદ મેટ્રોને સૌથી સ્વચ્છ મેટ્રોનું ટેગ મળે અને આપણે અન્ય શહેરોને દૃષ્ટાંત પૂરું પાડીએ.”
મલ્હાર-આરોહીના જીવનનું યાદગાર સંભારણું

મલ્હાર અને આરોહી જાણીતા એક્ટર્સ ત્યારે પોતાને મળેલી સવલતો અંગે સભાન છે. શહેરના અન્ય લોકોની જેમ આરોહી અને મલ્હારને દરરોજ મેટ્રોમાં મુસાફરી નથી કરવાની હોતી પરંતુ તેઓએ આ મુસાફરીને મન ભરીને માણી. 3.40 કલાકે મેટ્રો એપરેલ પાર્કમાં પ્રવેશી અને આ સાથે જ મલ્હાર-આરોહી ડેસ્ટિનેશન પર આવી પહોંચ્યા. 3.42 કલાકે તેઓ કોચમાંથી બહાર નીકળ્યા ત્યારે પણ એપરલ પાર્ક સ્ટેશન પર રહેલા ફેન્સ સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા. એક્ટર્સે તેમને નિરાશ ન કર્યા. મેટ્રોની મુસાફરી મલ્હાર અને આરોહીના જીવનનું યાદગાર સંભારણું રહેશે.
from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2G3g2V5
via IFTTT
No comments:
Post a Comment