મુંબઈ:RBIએ ગુરુવારે બેન્કોની રોકડની સ્થિતિમાં સુધારો કરવા લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR)માં ફેરફાર કર્યો છે. આ સાથે ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણકારોને વધુ બે ટકાની લિક્વિડિટી વિન્ડો પૂરી પાડી છે. LCR ટૂંકા ગાળાની જવાબદારીને પહોંચી વળવા બેન્કો પાસેની ખૂબ તરલ એસેટ્સનું પ્રમાણ દર્શાવે છે.
દાસે 2019-’20ની પહેલી ધિરાણનીતિની સમીક્ષા જાહેર કરતાં જણાવ્યું હતું કે, “અમે બેન્કોને LCRની ગણતરીના હેતુ માટે લેવલ-1 ઉચ્ચ ગુણવત્તાની એસેટ્સને વધારાના બે ટકા LCR તરીકે મંજૂરી આપી છે.
આ પગલાથી બેન્કોની LCR સંબંધી લિક્વિડિટી જરૂરિયાતને હળવી કરવામાં મદદ મળશે. ઉપરાંત, તેને લીધે બેન્કો માટે વધારાની તરલતા છૂટી થશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સિસ્ટમ માટે મહત્ત્વની પણ થાપણો નહીં સ્વીકારતી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રેડિટ કંપનીઝ (ICCs) કેટેગરીમાં સામેલ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs-NDSI)ને ઓથોરાઇઝ્ડ ડીલર કેટેગરી-2 લાઇસન્સ માટે અરજી કરવાની મંજૂરી અપાઈ છે. RBIએ આ નિર્ણય ફોરેક્સ ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવવા કર્યો છે. તેની મદદથી નોન-ટ્રેડ કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે રેગ્યુલેટેડ એન્ટિટીના ટચ પોઇન્ટ્સમાં વધારો કરી શકાશે. આ બાબતે વિસ્તૃત સૂચના એપ્રિલ 2019ના અંતે ઇશ્યૂ કરવામાં આવશે.
વૈશ્વિક સ્તરે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મોર્ગેજને પૂરતી તરલતા સાથેના સિક્યોરિટાઇઝેશન માર્કેટ્સનો ટેકો મળે છે. ત્યાં મોર્ગેજ ઓરિજિનેટર્સ મોર્ગેજિસના પોર્ટફોલિયોનું પેકેજિંગ કરે છે અને મૂડીબજારમાં મોર્ગેજ-બેક્ડ સિક્યોરિટીઝ અથવા કવર્ડ બોન્ડ્સ તરીકે તેનું વેચાણ કરે છે. કાર્યક્ષમ સિક્યોરિટાઇઝેશન માર્કેટ્સ બેન્કોની બેલેન્સશીટમાં ક્રેડિટ અને લિક્વિડિટીના જોખમનું સારું મેનેજમેન્ટ શક્ય બનાવે છે. જેને લીધે અર્થતંત્રમાં મોર્ગેજ ફાઇનાન્સનો ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે. એથી વિપરીત ભારતમાં સિક્યોરિટીઝ માર્કેટમાં ડાયરેક્ટ એસાઇન્મેન્ટ તેમજ બેન્કો દ્વારા નોન-બેન્ક્સના લોનના લેણાંની ખરીદીનું પ્રભુત્વ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Uvu3UI
No comments:
Post a Comment