પુણે: લોકસભા ચૂંટણી પહેલા પુણેમાં સ્ટૂડન્ટ્સ સાથે સંવદ કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવરારે કહ્યું હતું કે, પીએમ મોદી ભલે તેમના પ્રત્યે ગુસ્સાની ભાવના રાખતા હોય, પરંતુ તેઓ તેમને પ્રેમ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું પીએમ મોદી પ્રત્યે કોઈ નફરત નથી રાખતો, પરંતુ તેઓ મારા પ્રત્યે ગુસ્સો રાખે છે.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
રાહુલ ગાંધી આટલું બોલ્યા ત્યાં જ ઉપસ્થિત સ્ટૂડન્ટ્સે મોદી-મોદીના નારા લગાવવાનું શરુ કરી દીધું હતું, અને આ દરમિયાન રાહુલ હસતા રહ્યા હતા.
Modi Modi chants at Rahul’s interaction with students in Pune… Give it up, Rahul baba! pic.twitter.com/SsFoIavgdw
— Chowkidar Amit Malviya (@amitmalviya) April 5, 2019
બેરોજગારી પર વાત કરતા રાહુલે કહ્યું હતું કે, 22 લાખ સરકારી નોકરીઓ ખાલી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાની આવશ્યકતા છે, જે આ નોકરીઓમાં જગ્યા ભર્યા પછી જ શક્ય બનશે. જ્યારે અમે સત્તા પર આવીશું ત્યારે સંસદ અને રાજ્ય વિધાનસભામાં પણ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે. રાષ્ટ્રીય સ્તર પર પણ નોકરીઓનો 33 ટકા હિસ્સો મહિલાઓ માટે અનામત રખાશે. તેમણે કહ્યું હતું કે, રાજનેતાઓ માટે રિટાયરમેન્ટની ઉંમર હોવી જોઈએ. 60 વર્ષ બાદ નેતાઓએ રિટાયર થઈ જવું જોઈએ.
સ્ટૂડન્ટ્સ સાથે વાત કરતા રાહુલે પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે હું જૂઠ્ઠા વાયદા નથી કરતો. હું સાચું બોલું છું. હું ઠાલા વચનો આપવા પસંદ નથી કરતો. ઘણીવાર જ્યારે હું સાચું બોલું છું ત્યારે તે ખાસ રોમાંચક નથી લાગતું. જો હું કહું કે અમે 5 કરોડ ગરીબ પરિવારોને વર્ષે 72 હજાર રુપિયા આપીશું તો તેનો મતલબ એ છે કે તે થઈને રહેશે. તેના માટે ન તો મધ્યમ વર્ગ પર ભાર નાખવામાં આવશે કે ન તો ટેક્સ વધારાશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2FTeUmD
No comments:
Post a Comment