નવી દિલ્હી:દલાલ સ્ટ્રીટના પીઢ અનુભવી રામદેવ અગ્રવાલ માને છે કે તાજેતરમાં ઘરઆંગણાના શેર્સમાં ઉછાળો જોવાયો છે તે ‘રહી જવાના ભય’ના કારણે ટ્રિગર થયો છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓ બાદ કોઈક કારણોસર બજાર ઘટશે તો તેઓ ખરીદી કરશે.
અગ્રવાલે ઇટીનાઉને જણાવ્યું હતું કે, એફઆઇઆઇ દ્વારા જંગી માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે તેના કારણે હાલમાં બજાર ઊછળ્યું છે. આ આમંત્રણ વગરની પાર્ટી સમાન છે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સહસ્થાપકે જણાવ્યું હતું કે, શેરના સંપૂર્ણ બાસ્કેટમાં આ પ્રકારની ખરીદી પાછલાં ૪-૫ વર્ષમાં જોવા મળતી હતી તેના કરતાં અલગ છે. તેથી મોટા ભાગના ઘરઆંગણાના પોર્ટફોલિયો એફઆઇઆઇ પોર્ટફોલિયો સાથે એલાઇન થયેલા નથી. મારા કિસ્સાની વાત કરીએ તો જ્યારે અમે આ તેજીમાં જોડાયેલા છીએ ત્યારે તે અમારી ઇચ્છા પ્રમાણેનું નથી.
આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી મહિનામાં ₹4,262 કરોડની નેટ વેચવાલી બાદ એફપીઆઇએ ફેબ્રુઆરી તથા માર્ચમાં ઘરઆંગણાના શેરબજારમાં ₹51,000 કરોડથી વધારે નાણાંનું રોકાણ કર્યું હતું. જંગી એફપીઆઇ ભંડોળના કારણે આ કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સ નવ ટકા ઊંચકાયો છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે, બજાર માર્કેટને આગામી ચૂંટણીમાં ઘટેલી બહુમતી સાથે બીજેપી સત્તા જાળવી રાખશે પરંતુ મોદી જ વડાપ્રધાન બનશે તેના પર પ્રાઇસિંગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હું નથી માનતો કે આ સરકાર ફરીવાર સત્તા પર નહીં આવે તેવા કોઈ મૂડમાં માનતું હોય. જો સરકાર નહીં આવે તો શું થશે તેના અંગે પૂરતી સમજણ નથી.
અગ્રવાલે જણાવ્યું હતું કે, ઇક્વિટી રોકાણકારો ટૂંકા ગાળા માટે ગરબડનો સામનો કરી શકે પરંતુ રોકાણ એ લાંબા ગાળાનો ખેલ છે તથા વ્યક્તિએ ટૂંકા ગાળાના અવરોધોથી આગળ વધવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હંમેશાં કશુંક તો બને જ છે. જો તે સામાન્ય ચૂંટણી ના હોય તો પછી બીજી કોઈ ઘટના બની શકે. રોકાણ એ ઓછો સક્રિય અને આળસુ બિઝનેસ છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી એક મોટી ઘટના છે ત્યારે તેમના રોકાણના નિર્ણયો સત્તાપક્ષ આગામી ચૂંટણીમાં ૨૫૦ બેઠક જીતશે કે ૩૦૦ બેઠક તેના પર આધારિત હોતા નથી. તેમણે જણાવ્યું હતું કે હું તેના પર બારીક નજર રાખું છું પરંતુ તે મને દોરી ન શકે.
આંકડા દર્શાવે છે કે પાછલી 10 સામાન્ય ચૂંટણીમાંથી આઠ વખત બજારે પોઝિટિવ વળતર આપ્યું હતું, અને બજારે એ પણ જોયું નહોતું કે નવી સરકાર બજાર પ્રત્યે મૈત્રીપૂર્ણ છે કે નહીં. આ વખતે પરિસ્થિતિ અલગ છે. મોદી સરકારના સત્તાકાળનાં પ્રથમ ચાર વર્ષ દરમિયાન બજાર અર્નિંગ પુન: જીવંત થવાના આશાવાદ વચ્ચે ઊંચકાયું હતું. જ્યારે પીઇ વિસ્તરિત થયા છે ત્યારે અર્નિંગ તેને અનુસરતા નથી. તેને પરિણામે મિડ-કેપ તથા સ્મોલ-કેપ શેર્સ ગગડ્યા હતા. યુએસ ફેડ ટાઇટનિંગ વચ્ચે નાણાપ્રવાહ ધીમો પડવા લાગ્યો હતો.
અગ્રવાલના જણાવ્યા અનુસાર ટૂંકા ગાળામાં બજાર કઈ તરફ જઈ રહ્યું છે તે વિચારવાથી નાણાં નથી મળતાં પરંતુ માત્ર વાળ ખરી જાય અને અને સફેદ થાય છે. તેમણે કહ્યું કે કોઈ કારણોસર બજાર ઘટશે તો તેઓ ખરીદદાર હશે.
અગ્રવાલે જણાવ્યું હતું કે, બજારમાં જ્યારે પણ એકાએક કડાકો અનુભવાય ત્યારે તમે બે કિંમતો વચ્ચે અસંતુલન મેળવો છો, જેમ કે એચડીએફસી બેન્ક બે ટકા ઘટશે પરંતુ કોઈ અન્ય શેર ૧૫ ટકા ગગડશે. તે સમયે તમારી પાસે તક હોય છે કે તેનો એક હિસ્સો સ્વેપ કરી શકો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UknuF2
No comments:
Post a Comment