આ આદત હેલ્થ માટે સારી છે?
ઉનાળો આવતા જ વારંવાર તમને પાણી કે બીજું કંઈક પીવાની ઈચ્છા થતી રહે છે. તેમાંય જો જમવાનું તીખું કે વધારે ગરમ હોય તો આપણે જમતા-જમતા જ વચ્ચે પાણી પી લઈએ છીએ. ઉનાળામાં તો ઘણા લોકો જમ્યા પછી લીંબુનું શરબત પણ પીતા હોય છે, પરંતુ શું ખરેખર આમ કરવું જોઈએ? ચાલો આજે જાણીએ કે જમ્યા પછી લીંબુનું શરબત પીવાય કે નહીં?
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવાય?

સૌ પહેલા તો એ જાણી લો કે તમે જમી લો તેના કલાકો સુધી તે ખોરાકને પચાવવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, મોટાભાગનો ખોરાક પહેલા એક કલાકમાં પચી જાય છે. જેથી, સૌથી સારું એ રહેશે કે તમે જમ્યાના બની શકે તો એક કલાક સુધી લીંબુનું શરબત જ નહીં, પાણી પણ ન પીઓ.
જો ઠંડુ પાણી પીધું તો…

બીજી એક મહત્વની વાત એ છે કે, પાચનક્રિયા શરીરમાં થતી એક પ્રકારની કેમિકલ પ્રોસેસ છે. જે ગરમી પણ ઉત્પન્ન કરે છે. જેથી પાચન ક્રિયા ચાલુ હોય તે દરમિયાન જો તમે ઠંડુ પાણી પીશો તો તેમાં વિક્ષેપ પડશે. ઘણા લોકોને જમ્યા પછી તરત જ પાણી પી લેવાની આદત હોય છે, અને મોટાભાગના લોકો તો જમતાની સાથે જ ફ્રીજ તરફ જ દોડતા હોય છે, પરંતુ આમ કરવું બરાબર નથી.
જમ્યા પછી લીંબુનું શરબત પીશો તો..

હવે વાત કરીએ જમ્યા પછી લીંબુપાણી પીવાની. ઉનાળામાં લીંબુપાણી પીવાની મજા કંઈક ઓર જ છે. તે શરીરને હાઈડ્રેટ રાખવાની સામે બીજા પણ ઘણા ફાયદા કરે છે. પરંતુ જમ્યા પછી લીંબુનું શરબત પીવાનો આઈડિયા જરાય સારો નથી. લીંબુ પાણી પીવાનું તમને ગમતું જ હોય તો તેને જમ્યાના 30 મિનિટ પહેલા કે પછી ભૂખ્યા પેટે જ પીવાનું રાખો, તેનાથી તમને તેનું શ્રેષ્ઠ પરિણામ મળશે.
વધારે પડતું લીંબુનું શરબત ટાળો

એટલું જ નહીં, તમારે વધુ પડતું લીંબુપાણી પીવાનું પણ ટાળવું જોઈએ. તેમાં એસિડિક તત્વો ભરપૂર હોવાના કારણે તે તમારા દાંતને નુક્સાન કરે છે. ઉનાળામાં જો તમારે હાઈડ્રેટ જ રહેવું હોય તો પાણી પીવા ઉપરાંત આ સીઝનમાં મળતા ફળ જેવા કે તડબૂચ, શક્કરટેટી, દ્રાક્ષને પણ ખાવાનું રાખો, જેનાથી તમે હેલ્ધી પણ રહેશો.
from health tips in gujarati – Page Array – I Am Gujarat https://ift.tt/2uJuxYN
No comments:
Post a Comment