આ શિવલિંગની કેમ પૂજા નથી થતી?

ભગવાન શિવનો જળાભિષેક કરવાથી જ્યાં લોકોના સમસ્ત દુઃખ દૂર થઈ જાય છે અને તેમને સ્વસ્થ શરીર તથા દીર્ધ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો એક એવું શિવલિંગ છે, જેની પૂજા કરવામાં લોકો ડરે છે. ડરના કારણે જ લોકો આ શિવલિંગ પર દૂધ કે દહીં ચડાવવાનું તો દૂર પાણીથી રુદ્રાભિષેક કરતા પણ કાંપે છે. આવી જોઈએ આ વિચિત્ર શિવલિંગ વિશે અને કેમ તેની પૂજા કરવાથી લોકો ડરે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દેવોની ભૂમિમાં આવ્યું છે આ મંદિર

દેવતાઓની ધરતી કહેવાતા ઉત્તરાખંડમાં આ શિવલિંગ સ્થિત છે. ઉત્તરાખંડના ચમ્પાવત જિલ્લાના હથિલા નૌલામાં આ અનોખી શિવલિંગ છે. આ શિવલિંગ આવી કેમ છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા પ્રચલિત છે.
શિવલિંગ પાછળ રહેલો છે પ્રાચીન કથા

પ્રાચીન કાળમાં અહીં એક મૂર્તિકાર રહેતો હતો. એકવાર મૂર્તિ બનાવતા સમયે તેનો હાથ કોઈ ધારદાર હથિયારથી કપાઈ ગયો. ગામના લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. તેનાથી પરેશાન થઈને તે દક્ષિણ દિશામાં શિવલિંગ બનાવવા નીકળી પડ્યો. રાત સુધીમાં તેણે એક પહાડમાંથી શિવલિંગ બનાવવાનું કામ કરી નાખ્યું.
મૂર્તિકારે શિવલિંગમાં કરી ભૂલ

શિવલિંગ બનાવ્યા બાદ મૂર્તિકાર ગાયબ થઈ ગયો. સવારે ગામના લોકો શિવલિંગ જોઈને અચરજમાં પડી ગયા. પછી એક દિવસે ગામના બ્રાહ્મણે ધ્યાનથી જોતા માલુમ પડ્યું કે શિવલિંગ ખોટું બન્યું છે. આ શિવલિંગમાં અરધા ઉત્તર દિશામાં હોવાને બદલે દક્ષિણ દિશામાં બન્યુ્ંછે. તેને બનાવનારાએ મોટી ભૂલ કરી છે અને આ કારણે જ તે ભાગી ગયો છે.
બ્રાહ્મણના કહ્યા બાદ શિવલિંગની પૂજા બંધ કરાઈ

બ્રાહ્મણના કહ્યા બાદ ગામ લોકોએ તેની પૂજા કરવાનું બંધ કરી દીધું. માન્યતા મુજબ આ શિવલિંગની પૂજા કરવાથી કોઈ ખરાબ ઘટના બની શકે. આજે પણ આ મંદિર શિવભક્તો માટે તરસી રહ્યું છે.
મુંડન માટે આવે છે લોકો

મંદિરમાં ભલે પૂજા ન થતી હોય, પરંતુ મંદિર સાપેસ એક સરોવર સ્થિત છે. આ સરોવરના કિનારે મુંડન સંસ્કાર કરાવવા દૂર-દૂરથી લોકો આવે છે. સાથે જ શિવલિંગના દર્શન કરે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2IYXjNn
No comments:
Post a Comment