જીવન ચક્રમાંથી મળશે મુક્તિ

સનાતન ધર્મમાં દરેક ધાર્મિક કર્મકાંડ પાછળ એક જ ભાવના હોય છે અને તે છે મોક્ષ પ્રાપ્તિ. ધર્મ-જ્ઞાન-આધ્યાત્મનો દીવો મોક્ષ પ્રાપ્તિ માટે જ તો પ્રગટાવાય છે. હિંદુ ધર્મનો પ્રાણ કહેવાતા વેદ અને પુરાણોમાં એવા તીર્થસ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં અમુક કર્મો કરવાથી જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ તળાવમાં કરો સ્નાન

સ્કંદ પુરાણ અનુસાર, ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરની નજીક આવેલા માર્કંડેય તળાવમાં સ્નાન કરીને શ્રી જગન્નાથ પુરીના દર્શન કરવાથી ફરીથી જીવન ચક્રમાંથી પસાર નથી થવું પડતું.
ગર્ભગૃહમાંથી નીકળ્યા બાદ

આસ્થા પ્રમાણે, મા વૈષ્ણો દેવીના દર્શન ગર્ભગૃહમાંથી પસાર થઈને કરનાર વ્યક્તિને ગર્ભમાં આવવાનો કષ્ટ ફરીથી નથી લેવો પડતો.
શિવલિંગના દર્શનથી મુક્તિ

અમરનાથ ધામ વિશે કહેવાય છે કે, અહીં જે વ્યક્તિ ભગવાન શિવના હિમલિંગના દર્શન કરે છે તેને જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
કૈલાસ અને જીવન મુક્તિ

કૈલાસ પર્વત વિશે કહેવાય છે કે, માનસરોવર તળાવમાં સ્નાન અને પૂજન કર્યા બાદ કૈલાસ પર્વતના દર્શન તેમજ પૂજન કરવાથી જીવન ચક્રમાંથી મુક્તિ મળે છે.
બદ્રીનાથ

જે વ્યક્તિ બદ્રીનાથના દર્શન કરે છે તેને ફરીથી માતાના ગર્ભમાં જન્મ નથી લેવો પડતો.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2I5H8NE
No comments:
Post a Comment