Latest

Wednesday, April 3, 2019

વોટ્સએપ અફવાઓ, શંકાસ્પદ માહિતીની ચકાસણી કરશે



68699243

અનુમેહા ચતુર્વેદી

નવી દિલ્હી:વોટ્સએપે મંગળવારે જાહેર કર્યું છે કે, ભારતના લોકોને મળેલી શંકાસ્પદ માહિતી અથવા અફવા નવા વોટ્સએપ નંબર +91-9643-000-888 પર મોકલી શકશે. જોકે, પ્રથમ તબક્કાના મતદાનને માંડ 10 દિવસનો સમય બાકી છે ત્યારે મોટા ભાગના લોકોને વોટ્સએપના આ નવા પગલાની ખાસ અસરકારકતા જણાતી નથી.

ભારતની મીડિયા સ્કિલિંગ સ્ટાર્ટ-અપ PROTO દ્વારા લોન્ચ કરાયેલા આ પગલા અંગે વોટ્સએપે જણાવ્યું હતું કે, “આ ‘ટિપલાઇન’થી ચૂંટણી દરમિયાન અફવાનો ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. તેની મદદથી ફેલવાઈ રહેલી ખોટી માહિતી અંગે સ્પષ્ટતા કરવામાં મદદ મળશે. PROTOનો આ રિસર્ચ પ્રોજેક્ટ વોટ્સએપ દ્વારા શરૂ કરાયો છે અને કંપની તેને ટેક્‌નિકલ સહાય પણ પૂરી પાડશે.

વોટ્સએપના જણાવ્યા અનુસાર ન્યૂઝ કન્સલ્ટન્સી ડિગ ડીપર મીડિયા અને સાન ફ્રાન્સિસ્કો ખાતેની મીદાન PROTOને ભારતમાં વેરિફિકેશન અને રિસર્ચ ફ્રેમવર્ક તૈયાર કરવામાં મદદ કરી રહ્યા છે. મીદાન વેરિફિકેશન અને સત્યની ચકાસણી માટે ડિજિટલ ટૂલ્સ બનાવે છે અને તેણે અમેરિકામાં ‘ઇલેક્શનલેન્ડ’ અને ફ્રાન્સમાં ‘ક્રોસચેક’ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. વોટ્સએપે લોકોની પૂછપરછનો જવાબ આપવા ચોક્કસ સમય દર્શાવ્યો નથી.

ઉપરાંત, તે થયેલા કામની માહિતી કે રિક્વેસ્ટના પ્રોસેસિંગની જાણકારી આપશે કે નહીં એ સ્પષ્ટ નથી. મીદાન અફવાનો ડેટાબેઝ જાળવશે. એવું કરવા તેમણે ચેક પ્લેટફોર્મનો વ્યાપ વધાર્યો છે (જેને મેક્સિકો અને ફ્રાન્સની તાજેતરની ચૂંટણી માટે તૈયાર કરાયું હતું.) અને વોટ્સએપ બિઝનેસ API સાથે તેનું ઇન્ટિગ્રેશન કર્યું છે. જેથી મોટા પાયે મેસેજ મેળવી શકાય અને તેનો જવાબ આપી શકાય.

કંપનીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ યુઝર ટિપલાઇન સાથે કોઈ શંકાસ્પદ મેસેજની માહિતી આપે તો PROTOનું વેરિફિકેશન સેન્ટર યુઝરને મેસેજમાં કરાયેલા દાવાની ચકાસણી કરાઈ છે કે નહીં તેનો જવાબ આપવાનું કહેશે. યુઝરના જવાબ માટે માહિતીને સાચી, ખોટી, ગેરમાર્ગે દોરનારી, વિવાદાસ્પદ કે બિનજરૂરી જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરાશે.

PROTOનું વેરિફિકેશન સેન્ટર તસવીરો, વિડિયો લિંક્સ કે ટેક્સ્ટ સ્વરૂપે અફવાની સમીક્ષા કરશે. તેને ઇંગ્લિશ ઉપરાંત હિંદી, તેલુગુ, બંગાળી અને મલયાલમ્ સહિતની ચાર પ્રાદેશિક ભાષામાં આવરી લેવાશે. જોકે, એક સોશિયલ મીડિયાના જાણકારે જણાવ્યું હતું કે, “લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો શરૂ થવા આડે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે ત્યારે હાલના તબક્કે માહિતી નક્કર નથી. આ પ્લેટફોર્મ માટે વધુ માહિતીની જરૂર પડશે. પ્રશ્નોનો જવાબ આપવામાં કેટલો સમય લાગશે, મેસેજની સત્યતા માટે કોની પર આધાર રખાશે તેમજ માહિતીને કોણ ક્રોસ-ચેક કરશે સહિતની બાબતો નક્કી કરવી જરૂરી છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2HXk30j

No comments:

Post a Comment

Pages