Latest

Tuesday, April 16, 2019

વર્લ્ડકપની ટીમમાં પંતના સ્થાને કાર્તિક કેમ? ચીફ સિલેક્ટરે કર્યો ખુલાસો

વર્લ્ડકપની ટીમમાં કાર્તિક ઈન, પંત આઉટ

વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે અને ટીમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક પણ વિશ્વાસ મૂક્યો છે. નંબર 4 પર અંબાતી રાયુડૂની જગ્યાએ વિજય શંકરના નામ પર સિલેક્ટર્સે મહોર મારી છે. કાર્તિકને ટીમમાં સમાવવા અંગે સિલેક્ટર્સનું કહેવું છે કે, રિષભ પંતના નામ પર ઘણી ચર્ચા થઈ, પણ વિકેટકીપિંગ સ્કિલ્સ, અનુભવ અને નાજુક સમયે ફિનિશરની ભૂમિકાને જોતા કાર્તિકને પ્રાયોરિટી આપવામાં આવી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કાર્તિકના અનુભવ પર મૂક્યો વિશ્વાસ

મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદે કહ્યું, ‘રિષભ પંતની વિરુદ્ધ કોઈ બાબત નથી ગઈ અને અમે આ યુવા ખેલાડી વિશે છેલ્લા એક મહિનામાં ઘણી ચર્ચા કરી. જોકે, બધા પક્ષોને જોયા બાદ અમે વિચાર્યું કે, કાર્તિકનો અનુભવ અને વિકેટકીપિંગની ક્ષમતા ટીમ માટે વધુ ઉપયોગી છે. કાર્તિક નાજુક ક્ષણોમાં સારા ફિનિશરની ભૂમિકા પણ ભજવે છે.’

આ વાતો ગઈ કાર્તિકના પક્ષમાં

તમિલનાડુના આ વિકેટકીપર બેટ્સમેને ટીમના મિડલ ઑર્ડરને ઘણીવાર સંભાળ્યો છે. તેણે ઘણીવાર ટીમને સરળતાથી જીત અપાવી છે તો ક્યારેક જરૂર પડ્યે ઘણીવાર પોતાની હિટિંગ સ્ટ્રેન્થને પણ દેખાડી છે. કોલંબોમાં રમાયેલી નિદાહાસ ટ્રૉફીની ફાઈનલમાં બાંગ્લાદેશ સામે 8 બોલમાં અણનમ 29 રનની ઈનિંગ રમી ભારતીય ટીમને વિજેતા બનાવી હતી.

DK પાસે પરિસ્થિતિ સાથે સંયોજનની ક્ષમતા

પંત ભલે લાંબા-લાંબા છગ્ગા ફટકારતો હોય પણ પરિસ્થિતિઓ મુજબ તાલમેલ બેસાડી ઈનિંગ્સને સંભાળવાનું કાર્તિક સારી રીતે જાણે છે. તે મુશ્કેક થઈ ચૂકેલી પરિસ્થિતિઓમાં ગેપ શોધી બાઉન્ડ્રી મેળવવામાં માહેર છે. KKRની ટીમની કેપ્ટનશિપ કરતી વખતે પણ તેણે ઘણી સમજદારી દેખાડી છે. સિલેક્ટર્સે એમ પણ કહ્યું કે, પંતમાં ખૂબ ટેલેન્ટ છે અને આ અમારા માટે ઘણું દુ:ખદ છે કે, તેને અમે ટીમમાં સમાવી શક્યા નહીં, પણ તેની પાસે ઘણો સમય છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2UEEUfH

No comments:

Post a Comment

Pages