12 વર્ષ બાદ વર્લ્ડ કપની ટીમમાં મળ્યું સ્થાન

કોલકાતા: IPLમાં કોલકાતા નાઈટ રાડઈર્સ (KKR)ના કેપ્ટન દિનેશ કાર્તિક સોમવારે પોતાની પત્ની દીપિકા અને KKRના CEO સાથે લંચ કરી રહ્યો હતો. ત્યારે જ દીપિકાનો ફોન વાગ્યો. તેના પિતાએ કાર્તિકને વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થયો હોવાની ખુશખબર આપી, જેના સાંભળી કાર્તિક ખુશીથી ઉછળી પડ્યો. તેનું ખુશ થવાનું મોટું કારણ પણ છે. 12 વર્ષ બાદ કાર્તિકનું વર્લ્ડ કપ ટીમમાં કમબેક થયું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બે વર્ષ પહેલાથી શરૂ કરી દીધી હતી તૈયારી

દિનેશ કાર્તિકે મંગળવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ‘આ મોટો પ્રસંગ છે. હું ખૂબ ભાગ્યશાળી છું અને ખુશ છું.’ અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, ‘2019 વર્લ્ડ કપ માટે મારી સફર બે વર્ષ પહેલા શરૂ થઈ હતી. મને વિશ્વાસ થયો કે, જો હું કંઈક ખાસ કરીશ તો આ શાનદાર ટીમનો હિસ્સો બની શકીશ જે વર્લ્ડકપ રમશે.’
કાર્તિક અને પંતને સિલેક્ટર્સે આપી હતી આવી ઓફર

ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે કાર્તિકનું સિલેક્શન ન થયું તો ઘણા લોકોને લાગ્યું કે, તેને વર્લ્ડકપની ટિકિટ નહીં મળે. કાર્તિકે કહ્યું કે, તે આ પ્રકારનું પ્લાનિંગ કરી ચૂક્યો હતો એટલે બિલકુલ નિરાશ નહોતો થયો. તમિલનાડુના ક્રિકેટરે કહ્યું, ‘MSK પ્રસાદે મને ફોન કરીને કહ્યું કે, અમે બંને વિકેટકીપર્સ (પંત અને કાર્તિક)ને બરાબર તક આપવાનો નિર્ણય લીધો છે.’ પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે, તે મને ભારતના ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર મને તક આપશે અને પછી મારું પ્રદર્શન જેવું પણ હોય, કાંગારુ ટીમ વિરુદ્ધ ઘરઆંગણાની સીરિઝમાં પંતને તક આપવામાં આવશે. બહુ સ્પષ્ટ વાત કહેવામાં આવી હતી જે મને ખૂબ પસંદ આવી.
ધોની ઈજાગ્રસ્ત થશે તો હું બેન્ડ-એડનું કામ કરીશ

જોકે, પ્રસાદે સોમવારે સંકેત આપ્યા કે, દિનેશ કાર્તિક એમએસ ધોનીના વિકલ્પ તરીકે શામેલ કર્યો છે. કાર્તિકે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ દ્વારા મળેલી કોઈપણ જબાવદારી નિભાવવા માટે તૈયાર છે. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, ‘જ્યાં સુધી ધોનીની વાત છે તો હું એક નાનકડી ફર્સ્ટ એડ કિટ છું જે ટીમની સાથે મુસાફરી કરશે. જો ધોની ઈજાગ્રસ્ત થાય તો હું બેન્ડ-એડ બનીશ.’
33 વર્ષીય કાર્તિકે કહ્યું, ‘જો તક મળી તો મારે નંબર-4 અથવા ફિનિશરની ભૂમિકા ભજવવી પડી શકે છે, જેના માટે હું તૈયાર છું. IPL બાદ હું દરરોજ તૈયારી કરીશ જેી સ્પેશિયલાઈઝ્ડ બેટ્સમેન તરીકે પ્રદર્શન કરી શકું અને આ ભૂમિકા હું પહેલા પણ ભજવી ચૂક્યો છે.’
ફિનિશર બનવાનો શ્રેય આ ક્રિકેટરને જાય છે

દિનેશ કાર્તિકે નિદાહાસ ટ્રૉફીમાં ફિનિશર તરીકેની ઓળખ બનાવી, આનો શ્રેય તે અભિષેક નાયરને આપે છે. તેણે કહ્યું, ‘નાયરે મને વિશ્વાસ અપાવ્યો કે, મારી અંદર મેચ ખતમ કરવાની ક્ષમતા છે અને તેના માટે થોડા અભ્યાસની જરૂર છે. મારે થોડા અલગ શોટ શીખવાની જરૂર હતી. જોકે, મેં ક્યારેય ફિનિશર બનવાનું પ્લાનિંગ કર્યું નહોતું. મેં મુશ્કેલ સમયમાં પણ નિરંતર સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો.’
કાર્તિકે કહ્યું – પંત અને હું નથી કરતા વાત

2019 વર્લ્ડ કપમાં સિલેક્શન બાદ પંત અને કાર્તિકના વિષય પર ખૂબ ચર્ચા થઈ રહી છે, પણ IPLમાં જ્યારે તેઓ સામ-સામે થયા તો આ વિશે વાત ન થઈ. કાર્તિકે કહ્યું કે, ‘હંમેશાં કોઈ એકને તો સ્થાન નથી જ મળતું. આ રમતનો નેચર છે પણ મે અને પંતે આ વિશે વાત કરી નથી કરી. તેને તક મળવાનો વિશ્વાસ છે અને મને પણ. જો તેનું સિલેક્શન થાત તો હું નિરાશ થાત. હવે મારું સિલેક્શન થયું છે તો મને વિશ્વાસ છે કે, તેને થોડી નિરાશા થઈ હશે.’ તેણે કહ્યું કે, ‘પંતનું ભવિષ્ય ઉજ્વળ છે અને તેને આશા છે કે, વર્લ્ડકપ બાદ તેની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા મળશે. હું ધોની સાથે રમી શકું છું તો પંત સાથે કેમ નહીં.’
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – I Am Gujarat http://bit.ly/2vaffws
No comments:
Post a Comment