બદલાયો લૂકઃ

બોલિવુડ એક્ટર ઋષિ કપૂર અમેરિકામાં કોઈ ગંભીર બીમારીનો ઈલાજ કરાવીરહ્યા છે. તેમણે આ બીમારી વિષે કોઈને નથી જણાવ્યું પણ તેમની હેલ્થ અપડેટ તસવીરો મારફતે મળતી રહે છે. નીતૂ કપૂર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઋષિ કપૂરના ફોટોઝ શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે રણબીર કપૂર અને ઋષિ કપૂર સાથે નવી તસવીર શેર કરી છે જેમાં ઋષિ કપૂરનો બદલાયેલો લૂક જોવા મળે છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
ચહેરા પર દેખાઈ નબળાઈઃ

નીતુ કપૂરે શેર કરેલા ફોટામાં રણબીર અને ઋષિ સ્માઈલ કરી રહ્યા છે પરંતુ ઋષિના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ આવી રહી છે. તેમની હેલ્થ અંગે મળેલી અપડેટ મુજબ તે જલ્દી જ ભારત પાછા ફરે તેવી શક્યતા છે.
આલિયા અને તેની મમ્મીએ કર્યું રિએક્ટઃ

નીતુ કપૂરે આ ફોટો શેર કરતા લખ્યું છે કે જો તમારી આસપાસ પોઝિટિવિટી, ખુશી, પ્રેમ અને વિંક હોય તો મુશ્કિલ સમય પણ આસાન બની જાય છે. આલિયા ભટ્ટ અને સોની રાઝદાને <3 પોસ્ટ કરીને રિએક્ટ કર્યું હતું.
જલ્દી ઈન્ડિયા પાછા ફરશે ઋષિ?

રણબીર કપૂરને એવોર્ડ શોમાં જ્યારે પૂછાયું કે તેના પિતા ક્યારે પાછા ફરશે તો તેણે જવાબ આપ્યો- જલ્દી જ. સંજુ માટે બેસ્ટ એક્ટરની ટ્રોફી જીતનાર રણબીરે સ્પીચમાં જણાવ્યું કે ઋષિ કપૂર હંમેશા ફિલ્મોની વાત કર્યા કરે છે. કઈ ફિલ્મ કેવી છે? કેવો બિઝનેસ કરી રહી છે? કેવા પરફોર્મન્સ છે? તેના વિષે તે જાણકારી રાખે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Ut0aEv
No comments:
Post a Comment