નવી દિલ્હી:વિદેશી રોકાણકારોએ એપ્રિલમાં અત્યાર સુધી ભારતના મૂડીબજારમાં આશરે ₹11,012 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતના મૂડીબજારમાં ₹45,981 કરોડનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વિદેશી ફંડ્સનું રોકાણ ₹11,182 કરોડ રહ્યું હતું.
ડિપોઝિટરીના તાજેતરના ડેટા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અથવા એફપીઆઇએ 1થી 16 એપ્રિલ દરમિયાન ઇક્વિટી માર્કેટમાં ₹14,300.22 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જોકે આ સમયગાળામાં તેમણે બોન્ડ માર્કેટમાં ₹3,288.08 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. તેનાથી ઇક્વિટી અને ડેટ બંને માર્કેટમાં ચોખ્ખો વિદેશી નાણાપ્રવાહ ₹11,012.10 કરોડ રહ્યો હતો.
બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી સ્થિર સરકારની આશાને કારણે ફેબ્રુઆરીથી બજારમાં વિદેશી નાણાપ્રવાહ ચાલુ થયો છે. વિકસિત દેશોમાં આર્થિક નરમાઈની શક્યતાને કારણે પણ ભારતના બજારમાં વિદેશી નાણાપ્રવાહમાં વધારો થયો છે.
વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેન્કોના નાણાનીતિ અંગેના હળવા વલણથી પણ આ ટ્રેન્ડને વેગ મળ્યો છે. વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેન્કોએ નાણાનીતિ અંગે તેમના વલણમાં ફેરફાર કર્યા બાદ ફેબ્રુઆરીથી નાણાપ્રવાહ ચાલુ થયો છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે વેપારમંત્રણાની સફળતાની પણ આશા છે. તેનાથી રિસ્ક ઓન સેન્ટિમેન્ટને વેગ મળ્યો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે વૈશ્વિક અને ઘરેલુ સ્તરે પોઝિટિવ પરિબળોને કારણે આગામી સમયગાળામાં પણ વિદેશી નાણાપ્રવાહ ચાલુ રહેવાની ધારણા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2GvRdkv
No comments:
Post a Comment