JDSના સાત નેતાઓ શ્રીલંકા બ્લાસ્ટ બાદ ગુમ

નવી દિલ્હીઃ શ્રીલંકામાં રવિવારે એક બાદ એક 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં કેટલાય વિદેશીઓ સહિત 290 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ બ્લાસ્ટ બાદ કોલંબોમાં રજાઓ માણવા ગયેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS)ના નેતાઓ પણ ગુમ બતાવાઈ રહ્યા છે અને આ નેતાઓ સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
જે હોટલમાં બ્લાસ્ટ થયો ત્યાં જ રોકાયા હતા

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ આ નેતાઓ રજાઓ માણવા શ્રીલંકા ગયા હતા. અહીં નોંધનીય બાબત એ છે કે શ્રીલંકાની જે શંગરી-લા હોટલમાં બ્લાસ્ટ થયો તેમાં જ નેતાઓ રોકાયેલા હતા. તમને જણવી દઈએ કે ઈસ્ટર સંડેના અવસરે ચર્ચ અને હોટલોમાં થયેલા બ્લાસ્ટથી 290 લોકોના મોત થયા હતા જેમાં 6 ભારતીયો પણ શામેલ છે.
JDSના બે નેતાના મોતની પુષ્ટિ
External affairs Min. @SushmaSwaraj has confirmed the death of two Kannadigas,KG Hanumantharayappa and M Rangappa, in the bomb blasts in #Colombo.
I am deeply shocked at the loss of our JDS party workers, whom I know personally. We stand with their families in this hour of grief— H D Kumaraswamy (@hd_kumaraswamy) April 22, 2019
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોલંબોમાં ભારતીય એમ્બેસીના ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં કહેવાયું હતું કે, અમને ખૂબ દુઃખ સાથે કાલે થયેલા હુમલામાં બે લોકો કે.જી હનુમંતરાયપ્પા અને એમ. રંગયપ્પાના નિધનની પુષ્ટિ કરીએ છીએ. આ બાદ સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરીને ત્રણ ભારતીયના મોતની પુષ્ટિ કરી હતી.
બ્લાસ્ટ મામલામાં 13 શંકાસ્પદોની ધરપકડ

શ્રીલંકાની સરકારે વિસ્ફોટો બાદ તરત જ કરફ્યુ લગાવી દીધો હતો, જેને સોમવારે સવારે 6 વાગ્યે પાછો લેવાયો. એક બાદ એક થયેલા 8 બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલો પણ શામેલ હતો. શ્રીલંકાની પોલીસે બોમ્બ બ્લાસ્ટ મામલામાં 13 લોકોની ધરપકડ કરી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UPc8t4
No comments:
Post a Comment