પાર્થિવ પટેલની લાઈફમાં મુશ્કેલી

ઈન્ડિયન ટી-20 લીગની 12મી સીઝન રમાઈ રહી છે, જેમાં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં હાલ સૌથી નીચેના સ્થળે છે. આ ટીમના ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલને બાદ કરતા સમગ્ર ટીમના ખેલાડીઓએ નિરાશ કર્યા છે. ઘણી મેચોમાં પાર્થિવ એકલા જ છેલ્લે સુધી ટકી રહ્યો, પરંતુ ટીમને રવિવારે CSK સામે મળેલી સફળતામાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
મેચ ખતમ થતા જ હોસ્પિટલ જાય છે

બીજી તરફ તમને જણાવી દઈએ કે પાર્થિવ IPLની કોઈપણ મેચ રમ્યા બાદ સીધા જ હોસ્પિટલ તરફ જાય છે. આ પાછળનું કારણ પાર્થિવના પિતા બીમાર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. પાર્થિવના પિતા હાલમાં બ્રેઈન હેમરેજની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ICUમાં એડમિટ છે. આથી તે તેમને મળવા માટે સીધો હોસ્પિટલ જાય છે. પછી મેચ પહેલા ફરીથી ટીમ સાથે જોડાઈ જાય છે. મેચમાં પોતાની બેટિંગ ખતમ થયા બાદ તે સીધો જ ફોન ચેક કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પાર્થિવે કહ્યું, ‘હું માત્ર આશા કરું છું કે ડોક્ટર્સ તરફથી કોઈ ખરાબ સમાચાર ન મળે.’
મેચ અને પિતાની બીમારી આ રીતે કરે છે મેનેજ

પાર્થિવે ખુદ જણાવ્યું કે, જ્યારે હું રમી રહ્યો હોઉં છું ત્યારે મગજમાં કશું જ નથી હોતું પરંતુ જેવી મેચ પુરી થાય છે મારું મન ઘર વિશે વિચારે છે. સવારે ઉઠતા જ હું પપ્પાના સ્વાસ્થ્ય વિશે પૂછું છું, ડોક્ટર્સ સાથે વાત કરું છું. ક્યારે ક્યારેક કોઈ મહત્વના નિર્ણય મારે જ લેવા પડે છે. મારા મમ્મી અને પત્ની ઘરે છે પરંતુ અંતિમ નિર્ણય મારે જ લેવાનો હોય છે. શરૂઆતના કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ હતા.
ટ્વીટ કરીને આપી હતી બીમારીની જાણકારી

પાર્થિવ આગળ કહે છે, મેચવાળા દિવસે જ્યારે મારો પરિવાર આવો નિર્ણય લે છે તો મને જણાવી દે છે. તેઓ નથી ઈચ્છતા કે મારું ધ્યાન ભટકે. માનસિક રૂપથી ઘણો ભાર છે પરંતુ કોઈ શું કરી શકે? પહેલા ખરાબ વિચારો આવતા હતા પરંતુ હવે પરિવારે પોતાને સંભાળી લીધા છે. ઉલ્લેખનીય છે કે IPLની શરૂઆત થાય ત્યારે પણ પાર્થિવે ટ્વીટ કરીને પોતાના પિતાની બીમારી વિશે જાણકારી આપી હતી અને લોકોને પાર્થવા કરવા માટે કહ્યું હતું.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2GALETt
No comments:
Post a Comment