Latest

Thursday, April 18, 2019

Oh! ..તો આ કારણે લગ્ન પહેલા અર્જુન-મલાઈકા હોસ્પિટલ પહોંચ્યા હતા?

કેમ હોસ્પિટલ પહોંચ્યા અર્જુન-મલાઈકા

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાના રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. જો બંને સાથે આઉટિંગ માટે પણ નીકળે તો તરત ચર્ચામાં આવી જાય છે. હાલમાં જ બંને એક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હવે એવી ચર્ચા સામે ચાલી રહી છે કે કપલ પ્રી મેરિટલ ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યું હતું. ઘણા કપલ્સ માટે આ એક સ્ટાન્ડર્ડ પ્રોસિઝર છે.

લાંબા સમયથી લગ્નની ચર્ચા

એવામાં લાગી રહ્યું છે કે લગ્નને લઈને જે રિપોર્ટ્સ ચાલી રહ્યા છે તે ઈસ્ટર વીકેન્ડ પર લગ્ન કરી શકે છે, તે સાચા સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અર્જુન અને મલાઈકાના લગ્નની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે બંને 18થી 27 એપ્રિલ વચ્ચે ક્રિશ્ચિયન વેડિંગ કરશે.

‘પાનીપત’ ફિલ્મમાં દેખાશે અર્જુન

વર્ક ફ્રંટની વાત કરીએ તો અર્જુન હવે આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળશે જેમાં તેની સાથે સંજય દત્ત અને કૃતિ સેનન પણ જોવા મળશે. બીજી તરફ મલાઈકાની વાત કરીએ તો તે છેલ્લે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘પટાખા’ના એક આઈટમ સોન્ગમાં જોવા મળી હતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2V5A5eZ

No comments:

Post a Comment

Pages