Latest

Sunday, April 28, 2019

PM નરેન્દ્ર મોદીની બાયોપિકના મેકર્સે ચૂંટણી પંચને લખ્યો પત્ર, કરી આવી માગણી

મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે કરી માગણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ પર અત્યારે સુપ્રીમ કોર્ટે પણ રોક લગાવી દીધી છે. કોર્ટનું માનવું છે કે, ચૂંટણી સમયે આ ફિલ્મ રિલીઝ કરવાથી ભાજપને તેનો ફાયદો મળશે. બીજી તરફ ચૂંટણીપંચે પણ લોકસભા ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રિલીઝ પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. આવામાં ફિલ્મના મેકર્સે ફિલ્મ પ્રમોશન અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

19 મે બાદ જ રિલીઝ થઈ શકશે ફિલ્મ

જણાવી દઈએ કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા એટલે કે, 19 મે બાદ રિલીઝ કરવાની વાત પર મહોર લાગી ગઈ તો ફિલ્મ મેકર્સે હાલમાં જ ચૂંટણી પંચને એક લેટર મોકલ્યો છે. આમાં તેમણે ફિલ્મના પ્રમોશનની પરવાનગી માગી છે.

આવા સ્થળોએ પ્રમોશન કરવાની પરવાનગી માગી

ફિલ્મ મેકર્સને મોકલેલા લેટરમાં એ પૂછ્યું કે, જે સ્થળોએ આદર્શ આચાર સંહિતા લાગૂ નથી ત્યાં ફિલ્મનું પ્રમોશન કરી શકાય? અત્યારે ચૂંટણી પંચ તરફથી આના પર કોઈ જવાબ આવ્યો નથી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2vmYz4W

No comments:

Post a Comment

Pages