રાજકોટ: આજે ખોડલધામમાં મળેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 10 ટકા અનામત મળી ગઈ હોવાથી હવે આંદોલનની કોઈ જરુર રહેતી નથી. હાર્દિકે કહ્યું હતું કે, હવે આંદોલનનું કોઈ અસ્તિત્વ નથી. જે વસ્તુ મળી ગઈ છે તેના માટે હવે આંદોલન ચલાવવાની સ્વાર્થી રાજનીતિ અમને નથી આવડતી તેમ પણ તેણે કહ્યું હતું.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ આ અંગે કહ્યું હતું કે, એક સમયે આંદોલન હતું પરંતુ હવે તેનું કોઈ અસ્તિત્વ મને દેખાતું નથી.
રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા તેમજ આંદોલનકારીઓ પર થયેલા કેસોને પાછા ખેંચવા માટે નીતિ ઘડવા આજે PAASના આગેવાનો આજે ખોડલધામમાં એકઠા થયા હતા. આ મિટિંગમાં નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. મિટિંગ બાદ હાર્દિકે હવે આંદોલનનો કોઈ મતલબ રહેતો નથી તેમ જણાવ્યું હતું.
હાર્દિકના સાથી અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ગીતા પટેલે કહ્યું હતું કે, 10 ટકા અનામતનો સ્વીકાર થયો છે તે બરાબર છે પરંતુ આંદોલન તો ચાલુ જ રહેશે. પાટીદારો પર થયેલા કેસ પરત ન ખેંચાય, આંદોલન દરમિયાન પોલીસે કરેલા દમન માટે જવાબદાર લોકો સામે એક્શન નહીં લેવાય અને મૃતક પાટીદારોના પરિવારજનોને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી પાટીદાર આંદોલન ચાલુ જ રહેશે.
મહત્વનું છે કે, પાટીદારોએ પોતાને અનામત મળે તે માટે આંદોલન શરુ કર્યું હતું, પરંતુ સરકારે માત્ર પાટીદારોને બદલે દરેક સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપી દીધું છે. જ્યારે આ અનામતની જાહેરાત થઈ, ત્યારે હાર્દિકે જ તેનો વિરોધ કરી પાટીદારોને 10 ટકા અનામતની માગ કરી હતી, જોકે હવે તેણે જ આંદોલન પૂરું થઈ ગયું હોવાનું જણાવ્યું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Y3X9IZ
No comments:
Post a Comment