અમદાવાદ: આજે જાહેર થયેલા ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં એક એવો પણ તેજસ્વી તારલો છે કે જેણે ભણવાની સાથે પકોડીની લારી ચલાવી ગરીબી સામે જંગ લડીને આપબળે 83 ટકા મેળવ્યા છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતા અતુલ શર્માને દસમા ધોરણમાં 93 ટકા આવ્યા હતા, પરંતુ આર્થિક સ્થિતિને કારણે તેણે સાયન્સને બદલે કોમર્સ પસંદ કર્યું, અને હવે તે સીએ બનવા માગે છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
IamGujarat.com સાથે વાત કરતા અતુલે જણાવ્યુ હતું કે, 12મા ધોરણમાં ભણતો હોવા છતાં તે રોજ બે-ત્રણ કલાક પોતાની પકોડીની લારી પર જઈને કામ કરતો હતો. પોતાના મોટાભાઈ અને મમ્મી સાથે મળીને પકોડીની લારી ચલાવતો અતુલ કહે છે કે પપ્પાને પાંચ વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો ત્યારથી તેઓ કંઈ કામ નથી કરી શકતા, આથી ઘરની બધી જવાબદારી બે ભાઈઓ પર જ છે.
મણીનગરની હરિઓમ હિન્દી હાઈસ્કૂલમાં ભણેલા અતુલના કુલ પર્સેન્ટાઈલ 98.08 ટકા થાય છે. આર્થિક સંકડામણની વચ્ચે પણ તેણે પોતાનું સીએ બનવાનું સપનું પૂરું કરવા દિવસ-રાત જોયા વિના મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે ભણવામાં પણ ધ્યાન આપ્યું હતું, અને તેની જ ફળશ્રુતિ રુપે તેને બારમા ધોરણમાં 83 ટકા આવ્યા છે.
અતુલની સાથે તેનો ભાઈ પણ ભણવામાં હોશિયાર છે. તે હાલ બી.કોમનો અભ્યાસ કરે છે અને અતુલ સાથે પકોડીની લારી પણ ચલાવે છે. બંને ભાઈઓએ પોતાનો અભ્યાસ ન બગડે તે રીતે કામકાજના કલાકો વહેંચી લીધા છે, જેથી તેમની આવક પણ ચાલુ રહે છે, અને તેની સાથે અભ્યાસ પણ.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HCFbYB
No comments:
Post a Comment