આ હતી ભૂલ
જે લોકો દ્વારકા જગત મંદિરે દર્શન કરવા માટે ગયા હશે એમને ખબર હશે કે, દ્વારકાધીશ સાથે તેમના પત્ની રુક્ષ્મણી બીરાજમાન નથી. આવું શા માટે એ પાછળ એક કથા જોડાયેલી છે. કથા અનુસાર યદુવંશના કુળગુરુ દુર્વાસા ઋષિ એક વખત કૃષ્ણ અને રુક્ષ્મણીને આશીર્વાદ આપવા માટે દ્વારકા આવ્યા હતા. કૃષ્ણએ ઋષિને મહેલમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું. દુર્વાસાએ કહ્યું કે, એક શરત પર અંદર આવું. તમે બંને જે રથ પર અહીં આવ્યા છો એ રથ પર હું નહીં આવું. અલગ રથની વ્યવસ્થા કરવામાં આવે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કૃષ્ણએ આ પગલું ભર્યુ

કૃષ્ણએ ઋષિની વાત સ્વીકારીને રથમાંથી ઘોડા કાઢી નાંખ્યા અને પોતે રુક્ષ્મણી સાથે રથ ખેંચવા લાગ્યા. રસ્તામાં પત્નીને તરસ લાગતા કૃષ્ણએ પોતાના પગનો અંગુઠો જમીન પર મારતા પાણી નીકળ્યું. પણ આ પાણી ઋષિને આગ્રહ કરવામાં ન આવ્યું. જેનાથી ક્રોધીત થઈને ઋષી દુર્વાસાએ કૃષ્ણ અને રુક્ષ્મણીને 12 વર્ષ સુધી જુદા રહેવાનો શાપ આપ્યો હતો. આ ઉપરાંત જે સ્થાનેથી ગંગાનું પાણી નીકળ્યું હતું તે જમીન બંજર બની જાય એવો શાપ આપ્યો હતો.
રુક્ષ્મણીએ કર્યું આવું કામ

રુક્ષ્મણીએ આ બાર વર્ષના શાપ દરમિયાન વિષ્ણુ ભગવાનનું તપ કર્યું હતું. જ્યાં દ્વારકારમાં આજે રુક્ષ્મણી મંદિર આવેલું છે ત્યાં આજે પણ પાણીનું દાન આપવમાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે, અહીં લોકોને પાણીનું દાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેઓ તૃપ્ત થાય છે.
બંનેના મુખ અલગ દિશામાં

હાલ દ્વારકામાં જે દિશામાં કૃષ્ણ બિરાજમાન છે એનાથી જુદી જ દિશામાં રુક્ષમણી મંદિર આવેલું છે. આ ઉપરાંત બંનેના મુખ પણ જુદી જુદી દિશામાં છે. દ્વારકા દર્શન કરવા જાવ ત્યારે રુક્ષ્મણી મંદિરના દર્શન ખાસ કરવા જેવા છે. અહીંથી બેટદ્વારકા પણ જઈ શકાય છે. આજે પણ રુક્ષ્મણી મંદિરમાં પાણી પીવડાવવામાં આવે છે. એ પાછળ આ કથા જોડાયેલી છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2JvbZow
No comments:
Post a Comment