હનુમાનજીનું ચમત્કારિક મંદિરઃ

આમ તો ભારત દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે પરંતુ લખનૌ શહેરના અલીગંજમાં એક પ્રાચીન હનુમાન મંદિર આવેલું છે જ્યાં હનુમાનજી હાજરાહાજૂર હોવાનું મનાય છે. અહીં હનુમાનજીની પ્રતિમાને મૂછો છે અને તેમના પગ નીચે અહિરાવણ છે. રૌદ્ર સ્વરૂપમાં બિરાજમાન હનુમાનજીની પ્રતિમા ઉત્તર મુખી છે. અહીં વિશેષ મંગળવારના રોજ સવારની આરતી 9 વાગે અને રાતની આરતી 11 વાગે થાય છે. આ મંદિરના મહંત ગોપાલદાસના જણાવ્યા મુજબ સીતા માતાને વનવાસ થયો ત્યારે બિઠૂર જવાના રસ્તે સીતાજી અહીં આવ્યા હતા ત્યારે હનુમાનજીએ તેમની પહેરેદારી કરી હતી.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
નવાબ સાથે છે મંદિરનો સંબંધઃ

જૂના હનુમાન મંદિરનો સંબંધ નવાબ સઆદતઅલી ખાં સાથે છે. ઈતિહાસકાર યોગેશ પ્રવીણના જણાવ્યા અનુસાર સઆદતઅલી મંગળવારે જન્મ્યા હતા અને તેમને બાળપણમાં બધા મંગલૂ કહેતા હતા. તેની માતા છતર કુંવર હિન્દુ હતા. આથી સઆદતઅલીએ ગાદી સંભાળ્યા બાદ તે બીમાર પડ્યા તો તેમની માતાએ હનુમાનજીની બાધા રાખી. બાધા પૂરી થતા તેમણે 1798માં અલીગંજમાં હનુમાન મંદિર બનાવ્યું હતું. આજે પણ મંદિર પર ઈસ્લામના પ્રતીક સમાન ચંદ્ર જોઈ શકાય છે.
પ્રતિમાએ બદલ્યું છે રૂપઃ

મહંત ગોપાલ દાસે જણાવ્યું કે 2014માં રાત્રે એકાએક હનુમાનજીની પ્રતિમાએ પોતાની જાત જ રૂપ બદલી લીધું હતું. નવા સ્વરૂપમાં તેમની મૂછો સ્પષ્ટ દેખાય છે, પહેલા આવું નહતું. સંશોધન કરતા માલૂમ પડ્યું કે પ્રતિમા પર માન્યતા અનુસાર માટી વગેરે ચીજોનો લેપ કરાયો હતો અને વર્ષો પછી તે જાતે જ ખંડિત થઈને પ્રતિમાથી અલગ થઈ ગઈ હતી.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2K1CKAz
No comments:
Post a Comment