Latest

Tuesday, May 21, 2019

આ 7 વૃક્ષ ઘરમાં કે આસપાસ હશે તો હંમેશા જળવાઈ રહેશે ધન-સંપત્તિ

આ વૃક્ષો આપશે સુખ-સમૃદ્ધિ

સૌ કોઈ જાણે છે કે પ્રકૃતિએ આપણને કેટલું આપ્યું છે અને બધી ચીજો આપણા માટે જરૂરી છે. આ જ ક્રમમાં પ્રકૃતિએ આપેલી વસ્તુઓમાં છોડનું સ્થાન સૌથી આગળ છે. વર્તમાન સમયમાં લોકો જાણે છે કે છોડ આપણા દૈનિક જીવનમાં કેટલા અગત્યના છે. જો કે, મનુષ્ય છોડના ઘણા ગુણથી અજાણ પણ છે. સામાન્ય રીતે છોડ અને વૃક્ષના પાનનો ઉપયોગ પૂજા-અર્ચનામાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ દૂર કરવામાં પણ ઉપયોગી છે. અહીં કેટલાક એવા છોડ અને વૃક્ષ વિશે જણાવીશું કે, જેમને ઉગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને વાસ્તુદોષ પણ દૂર થશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આસોપાલવ

વાસ્તુ અનુસાર, આસોપાલવને ઘરની પાસે લગાવવાથી આસપાસમાં ઉગાડેલા અન્ય વૃક્ષોનો અશુભ દોષ દૂર થાય છે.

અશ્વગંધા

અશ્વગંધાનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સીમામાં આ છોડ ઉગાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. સાથે જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

નારિયેળ

જે ઘરની સીમામાં નારિયેળીનું ઝાડ હોય તે શુભદાયી પ્રાપ્ત થાય છે. આ વૃક્ષ ઘરના ગાર્ડનમાં હોય તો ઘર પરિવારના સભ્યોના માન-સન્માન અને ઉન્નતિમાં વૃદ્ધિ થાય છે.

દાડમ

દાડમનો છોડ ઘરમાં લગાવવો શુભ હોય છે પરંતુ યાદ રાખો કે અગ્નિ અથવા નૈઋત્ય કોણમાં ન લગાવવું. કેટલાક સ્થાનોએ દાડમનું ઝાડ હોય તો અશુભ પરિણામ આપે છે. જો કે આ નિયમ માત્ર બિનફળદ્રુપ પ્રકારના દાડમ પર લાગુ પડે છે.

વડ

વાસ્તુની દ્રષ્ટિએ વડ મહત્વનું ઝાડ છે. કોઈપણ ઓફિસ કે ઘરની પૂર્વ દિશામાં વડનું ઝાડ હોય તો અત્યંત શુભ માનવામાં આવે છે. આ સાથે ઓફિસ બિલ્ડિંગની પશ્ચિમ દિશામાં આ વૃક્ષ હોવું અશુભ ગણાય છે.

જાંબુ

વાસ્તુ મુજબ જાંબુનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં ઉગાડવું જોઈએ. માનવામાં આવે છે કે, અન્ય દિશામાં ઉગાડેલું જાંબુનું ઝાડ મિશ્રફળદાયી છે. જો કે ઘરની ઉત્તર દિશામાં જાંબુનું ઝાડ હોવું શુભ નથી. જો આ દિશામાં જાંબુનું ઝાડ હોય તો તેને કાપવાને બદલે પાસે દાડમ કે આંબળાનું વૃક્ષ વાવી દેવું.

બિલિપત્ર

ઘરની આસપાસ બિલિપત્રનું ઝાડ હોવું અત્યંત શુભ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વૃક્ષનો સંબંધ ભગવાન શંકર સાથે છે. શંકરજીને આ વૃક્ષ ખૂબ જ પ્રિય છે. વૃક્ષાયુર્વેદમાં કહેવાયું છે કે, यस्तु संरोपयेद्विल्वं, शंकरं प्रीतिकारकम्।तत्कुलेपि सदा लक्ष्मीः संतिष्टेत पुत्रपौत्रिकी।। મતલબ કે, જે ઘરમાં શિવજીને પ્રિય બિલિપત્રનું વૃક્ષ હોય ત્યાં ધનની દેવી મા લક્ષ્મી પેઢીઓ સુધી નિવાસ કરે છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2Hsteog

No comments:

Post a Comment

Pages