Latest

Tuesday, May 14, 2019

એપ્રિલમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 17% ઘટ્યું, છેલ્લાં 8 વર્ષનો તીવ્ર ઘટાડો

69320255

નવી દિલ્હી: એપ્રિલમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 17.07 ટકા ઘટ્યું હતું, જે ઓક્ટોબર 2011 પછીનો સૌથી તીવ્ર ઘટાડો છે. તરલતાની તંગી, ચૂંટણી પરિણામોને લઈને પ્રવર્તતી અનિશ્ચિતતા અને વાહનોની ઊંચી કિંમત જેવાં કારણોસર ગ્રાહકોનું સેન્ટિમેન્ટ ખરડાયું હોવાથી વેચાણ પર અસર પડી હતી.

એપ્રિલમાં થયેલા ઘટાડાને કારણે પેસેન્જર વ્હિકલના વેચાણમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો થયો હતો. એપ્રિલ ’18માં ભારતમાં કુલ 2,98,504 પેસેન્જર વ્હિકલ્સ વેચાયા હતા, જેની સામે એપ્રિલ ’19માં 2,47,541 યુનિટનું વેચાણ થયું હતું. છેલ્લે ઓક્ટોબર 2011માં વેચાણમાં 19.87 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

એપ્રિલમાં ટુ-વ્હીલર્સ અને કોમર્શિયલ વ્હિકલ્સ સહિતના તમામ મુખ્ય સેગમેન્ટ્સના વેચાણ ઘટ્યા હતા એમ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી માહિતી પરથી જાણવા મળે છે.

એપ્રિલ ’18માં 2,00,183 કાર વેચાઈ હતી, જેની સામે એપ્રિલ ’19માં 1,60,279 કાર વેચાઈ હોવાથી તેમાં 19.93 ટકાનો ઘટાડો થયો હતો. મોટરસાઇકલનું વેચાણ 12,30,046 યુનિટની સામે 11.81 ટકા ઘટીને 10,84,811 યુનિટ થયું હતું.

એપ્રિલમાં ટુ-વ્હીલરનું વેચાણ 16.36 ટકા ઘટીને 16,38,388 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના એપ્રિલમાં 19,58,761 યુનિટ હતું. આવી જ રીતે, કોમર્શિયલ વ્હિકલનું વેચાણ પણ 5.98 ટકા ઘટીને 68,680 યુનિટ થયું હતું. ઓટો ઉદ્યોગના તમામ સેગમેન્ટ્સના વેચાણમાં 15.93 ટકાનો ઘટાડો થયો હતો એમ SIAMએ જણાવ્યું હતું. કુલ વેચાણ 23,80,294 યુનિટથી ઘટીને 20,01,096 યુનિટ થયું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2vZ6buw

No comments:

Post a Comment

Pages