રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત 674 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય સોમવારના રોજ 7 રાજ્યોમાં 51 સીટો પર યોજાનાર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં થશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં 14 સીટો, રાજસ્થાનમાં 12 સીટો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 7-7 સીટો પર જ્યારે બિહારમાં 5 અને ઝારખંડમાં 4 સીટો માટે ચૂંટણી થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પાંચમા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પંચે 94 હજાર મતદાન કેન્દ્રોનું નિર્માણ કર્યું છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમા અને સૌથી નાના તબક્કામાં 8.75 કરોડ મતદાતાઓ કુલ 674 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ તબક્કા સાથે જ કુલ 424 સીટો પર ચૂંટણી પૂર્ણ થશે અને બાકીની 118 સીટો પર 12 મે અને 19 મેના રોજ ચૂંટણી થશે. ઉત્તરપ્રદેશમાં 14 સીટો પર મોટા રાજનૈતિક વ્યક્તિઓ વચ્ચે ચૂંટણીની ટક્કર થશે કે જેમાં કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Y1BFfI
No comments:
Post a Comment