જીત માટે દાવેદાર
ભારતીય ટીમ ઈગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે તા. 22 મેના રોજ ભારતથી ઈગ્લેન્ડ માટે રવાના થશે. ત્રીજી વખત વિશ્વકપ જીતવા માટે મેદાને ઊતરશે. ભારત પાસે 1983 અને 2011 બાદ 2019નો વિશ્વકપ જીતવાની તક છે. આ વખતેની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને જીત માટે દાવેદાર માનવામાં આવે છે. ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આ ટુર્નામેન્ટમાં બરોબરની ટક્કર થશે. આ ટુર્નામેન્ટને લઈને વિશ્વની તમામ ટીમે તૈયારીઓ કરી લીધી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કેદાર જાધવ છે ઈજાગ્રસ્ત

ભારતીય ટીમના ખેલાડી કેદાર જાધવ આઈપીએલની 12મી સિઝન દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેથી તેનું ઈગ્લેન્ડ જવું નક્કી થયું નથી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સિનિયર સિલેક્ટર્સ કેદાર જાધવને લઈને એલર્ટ છે અને તેની ફીટનેસ પર સતત નજર રાખી રહ્યા છે. કેદાર જાધવ પણ ફીટનેસ માટે પ્રયત્ન કરી રહ્યો છે. આઈસીસીના નિયમ અનુસાર ટીમ પોતાના ખેલાડીઓમાં 23 મે સુધી જરુરી ફેરફાર કરી શકે છે. એવામાં જો 23મી સુધી કેદાર જાધવ ફીટ નહીં થાય તો અક્ષર પટેલ અને અંબાતી રાયડુંને તક મળશે.
આ ખેલાડીને તક મળશે

અક્ષર પટેલ બોલરની સાથોસાથ સારો બેટ્સમેન પણ છે. જ્યારે અંબાતી રાયડું ટીમમાં આવતા ટીમનું બેટિંગ મજબુત થશે. આ સિવાય ઋષભ પંતને પણ તક મળી શકે એમ છે. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં તેમના પર મોટી જવાબદારી આપવામાં આવી છે. કેદાર જાધવ બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરી જાણે છે. છેલ્લા કેટલાક સમયથી તે ધોની સાથે મળીને વેલ ફિનિશર સાબિત થયો છે.
વિરાટની મુશ્કેલી વધી શકે છે

જો કેદાર જાધવ ફીટ સાબિત નહીં થાય તો કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત બીજા ખેલાડીઓને પણ પૂરતી પ્રેક્ટિસ માટે મહેનત કરવી પડે એમ છે. આ વખતે શિખર ધવનનું ધમાકેદાર પર્ફોમન્સ જોવા મળ્યું છે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે, શિખર હજુ રનનો ખડકલો કરવામાં સફળ થશે. અગાઉ પણ તેનો રેકોર્ડ સારો એવો રહ્યો છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2EgdZwN
No comments:
Post a Comment