શાસક પક્ષ માટે કપરો સમયઃ

બ્લૂમબર્ગ, વૃષ્ટિ બેનિવાલઃ લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આખો દેશ કાગડોળે 23 મેની રાહ જોઈને બેઠો છે. પરંતુ હવે જે પણ સત્તા સંભાળશે, તેના માટે આગળનો રસ્તો મુશ્કેલ છે. તેમના માટે અનેક આર્થિક પડકારો મોં ફાડીને જ ઊભા છે. એક્ઝિટ પોલ સૂચવે છે તેમ વડાપ્રધાન મોદીની NDA બીજી ટર્મ માટે સત્તા ગ્રહણ કરે કે પછી વિરોધ પક્ષ જીતે, શાસક પક્ષે પહેલું કામ દેશના ધીમા પડેલા આર્થિક વિકાસને પાટે લાવવાનું કરવું પડશે. અત્યારે વૈશ્વિક સ્તરે અર્થતંત્ર નબળું પડ્યું છે અને યુ.એસ તથા ચીન સાથે ભારતનો ટ્રેડવૉર ચાલી રહ્યો છે તેનું પણ શાસક પક્ષે સમાધાન લાવવું પડશે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
વિકાસ દર જાળવવાની ચેલેન્જઃ

7 ટકાના એક્સપાન્શન સાથે ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ શકે તેમ છે કારણ કે ભારતમાં GDPનો 61 ટકા આવરી લેતી માંગ નબળી પડી છે. નવા રોકાણ પર પણ તેની અસર પડી છે. 31 મેના રોજ જાહેર થનારા GDP ડેટામાં છેલ્લા ત્રણ મહિનાનો ગ્રોથ માત્ર 6.6 ટકા એટલે કે છ ક્વાર્ટરનો સૌથી ઓછો ગ્રોથ હોવાની શક્યતા છે.
વાયદા કર્યા પણ બજેટ છે?

ચૂંટણીમાં મોદીના ભાજપ પક્ષે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ગરીબો અને ખેડૂતોને આવકમાં ટેકો આપવા અબજો રૂપિયાની મદદની જાહેરાત કરી છે. અત્યારે દેશમાં ટાર્ગેટ કરતા ટેક્સ કલેક્શન ઓછું છે અને રાજકોષીય ખાધ જીડીપીના 3.4 ટકા જેટલી છે. ગ્લોબલ ક્રેડિટ રેટિંગ કંપનીઓ આ આંકડા પર નજર માંડીને બેઠી છે. તે હજુ વધારે નીચો જશે તો દેશનું દેવું જંક કેટેગરીમાં જતુ રહેશે.
નોકરીઃ

નવી સરકારે 10 લાખ લોકોને દર મહિને નોકરી આપવાની વ્યવસ્થા કરવી પડશે. ભારતે બે વર્ષથી અધિકૃત રોજગારના આંકડા જાહેર નથી કર્યા. પરંતુ સરકારે રિજેક્ટ કરેલો એક રિપોર્ટ લીક થઈ ગયો હતો. આ મુજબ બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ એટલે કે 6.1 ટકા જેટલો છે. ખાનગી રિસર્ચ કંપની ધ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અંદાજ મુજબ એપ્રિલમાં બેરોજગારીનો દર 7.6 ટકા થઈ ગયો હતો.
બેન્કોની કથળેલી હાલતઃ

IL&FS જેવી વિશાળકાય કંપનીએ એક પછી એક ડિફોલ્ટ જાહેર કરતા ભારતના બેન્કિંગ સેક્ટરની સ્થિતિ નાજુક છે. અત્યારે મોદી સરકારે કંપનીનો કંટ્રોલ લઈને હાલ પૂરતી કટોકટી ટાળી છે પરંતુ હકીકત એ છે કે બેન્કો પાસે રૂપિયાની તંગી છે અને તેને કારણે ગ્રાહકો દ્વારા થતા ખર્ચ પર અસર પડી છે. તેને કારણે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ અને હોલ્ડ ડેટ અંગે પણ ચિંતા ઊભી થઈ છે.
વેપારઃ

ભારત છેલ્લે માર્ચ 2002માં ટ્રેડ સરપ્લસ થયું હતું. એનો મતલબ એ કે દેશમાં નિકાસ આયાત કરતા વધી ગઈ હતી અને દેશે સૌથી વધુ આયાત ક્રૂડ ઓઈલની કરી હતી. ગયા વર્ષે દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ GDPના 2 ટકા હતી, જેને કારણે તે આપણા અર્થતંત્રની મોટામાં મોટી નબળાઈ બની ગઈ છે. ભારત અત્યારે નિકાસ ઘટાડી આયાત વધારવાની કોશિશ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે વિકાસ દર ઘટેલો જોતા આંતરરાષ્ટ્રીય વેપાર વધારવો ભારત માટે મોટી ચેલેન્જ બની જશે.
રોકાણઃ

ઈન્વેસ્ટમેન્ટ છેલ્લા ચાર વર્ષથી GDPના 30 ટકા પર અટકી ગયું છે. ચૂંટણી પહેલા અનિશ્ચિતતાને કારણે વિદેશી મૂડી રોકાણ પણ ઘટ્યું છે. બ્યુરોક્રસીમાં અડચણો અને રાજકારણથી પ્રેરિત બિઝનેને કારણે રોકાણકારો ઈન્ડિયાથી દૂર ભાગી રહ્યા છે. ઘણી કંપનીઓ અમેરિકા અને ચીનમાં ઉત્પાદનની કિંમતો વધતા તેમનું પ્રોડક્શન દક્ષિણ પૂર્વ એશિયામાં શિફ્ટ કરી રહ્યા છે પણ ભારત આ મોકો ચૂકી ગયું છે. સ્થિર સરકાર આવશે અને પોલિસી રિફોર્મ થશે તો ભારતમાં વિદેશી રોકાણ આવવાની શક્યતા છે. ખાનગી રોકાણમાં પણ ઠંડો માહોલ છે જેના તરફ સરકારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LUZlkQ
No comments:
Post a Comment