વૈષ્ણોંદેવીમાં લંગરની સેવાઃ

વૈષ્ણોંદેવી યાત્રાધામમાં હવે લંગરની સેવા શરૂ કરવામાં આવી છે. કટરા અને અર્ધકુંવારી વચ્ચે તીર્થાયાત્રા માટે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા સામુદાયિક રસોઈની શરૂઆત કરવામાં આવી છે. આ લંગર વ્યવસ્થા તારાકોટ માર્ગ પર છે અને વૈષ્ણોંદેવીની મુખ્ય યાત્રા શરૂ થાય છે તેનાથી 3 કિ.મી દૂર છે. અહીં સ્થાનિક ડોગર ભોજન તીર્થયાત્રીઓને પીરસવામાં આવે છે. આ ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે કે કોઈપણ વ્યક્તિ તે જોતા જ ખાવા લલચાઈ જાય છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
9 મેથી શરૂ થઈ સેવાઃ

આ સેવાનું ઉદઘાટન 9 મેના રોજ તીર્થયાત્રીઓના એક ઝૂંડે કર્યું હતું. લંગર માટે બનાવાયેલા હોલમાં 280 તીર્થ યાત્રી એક સાથે ભોજન કરી શકે છે. તીર્થયાત્રીને હાઈજિનિક ખાવાનું મળી રહે એ માટે લંગરમાં હાઈટેક ઉપકરણો અને વાસણો છે. યાત્રીઓને ખાવા-પીવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે વાતની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
આ રીતે કરી શકો દાનઃ

જો વ્યક્તિ લંગર સેવામાં યોગદાન આપવા માંગતું હોય તો તેના માટે પણ ખાસ વ્યવસ્થા છે. જે લોકો લંગર માટે દાન કરવા માંગતા હોવ તે દાનપેટીમાં નાંખી શકે છે અથવા તો ડિજિટલ ગેટ વે મારફતે ઓનલાઈન દાન પણ કરી શકે છે. આ અંગેની જાણકારી શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની વેબસાઈટ પર છે.
યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થાઃ

બોર્ડે યાત્રીઓ માટે વૈષ્ણોદેવી યાત્રાના રસ્તામાં જલપાન માટે યુનિટ્સ ઊભા કર્યા છે. અહીં કોલ્ડ ડ્રિંક, ચા, દૂધ, મિનરલ વૉટર, કૉફી વગેરે મળે છે. નાસ્તા સાથે ત્યાં તમે વૈષ્ણોદેવીની કુદરતી સુંદરતા પણ માણી શકો છે. આથી તેને વ્યુ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VvtLta
No comments:
Post a Comment