Latest

Sunday, May 12, 2019

આ ગામમાં છે દેશની પહેલી દાદી’મા’ સ્કૂલ. શાળાનો સમય 3થી 6

ગામની અનોખી શાળા

મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. પણ જે લોકોને આ મધર્સ ડેનું જ્ઞાન છે તે મહિલાઓ આ દિવસનું સેલિબ્રેશન કરે છે પણ જ્યારે મમ્મીઓ અભણ હોય ત્યારે શું? દેશની કોઈ મમ્મી અભણ ન રહી જાય એ માટે એક અભિયાન મહારાષ્ટ્રના ફંગાને ગામથી શરુ કરવામાં આવ્યું છે. જ્યાં આસપાસની મહિલાઓ એક સ્કૂલમાં જાય છે. પણ અહીં શરત એ જ છે કે, મહિલાઓની ઉંમર 50 વર્ષથી ઉપર હોવી જોઈએ તો જ એડમિશન મળે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આજીબાઈચી પાઠશાલા

આ સ્કૂલનું નામ આજીબાજી ચી પાઠશાલા છે. સૌથી ખાસ વાત એ છે કે, આ આ પાઠશાળામાં એક પણ બાળક નહીં દાદીમાં અક્ષરજ્ઞાન લેવા માટે આવે છે. ગુલાબી સાડીમાં બપોરના 3 વાગ્યે નીકળે છે આ દાદીઓની ગુલાબીગૅંગ. જે બીજા કોઈ કામ માટે નહીં પણ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે. મરાઠીમાં દાદીને આજીબાઈ કહેવામાં આવે છે. તેથી દાદીઓની આ સ્કૂલનું નામ રાખવામાં આવ્યું આજીબાઈચી પાઠશાળા. તા. 8 માર્ચ 2016ના મહિલા દિવસના દિવસે આ સ્કૂલ શરુ કરવામાં આવી હતી. ગામની 30 જેટલી દાદી ક્યારેય સ્કૂલમાં ગઈ ન હતી. આવી દાદીઓને જ્ઞાન અપવા માટે અને લખતા-વાંચતા શીખવાડવા માટે આ સ્કૂલ શરુ કરવામાં આવી.

સંસ્થાની મદદ લેવામાં આવી

મોતીલાલ દલાલ ચેરી. ટ્રસ્ટની મદદથી ફગાને ગામમને 100 ટકા સાક્ષર બનાવવા માટે યોગેન્દ્રભાઈએ આ શાળા શરુ કરી છે. આ શાળાનો હતું આસપાસની તમામ દાદીઓને સાક્ષર અને પગભર બનાવવાનો છે. ગામની દાદીઓને પણ પોતાની સહી કરતા આવડે એ માટે આ અભિયાન શરુ કરવામાં આવ્યું. અહીં અભ્યાસ કરવા આવતી દાદી કહે છે કે, અભ્યાસ કરવાથી બેન્કમાં કેવી રીતે સહી કરવી અને નામ લખવું એ સમજાઈ ગયું છે. હવે હું મારું નામ લખી શકું છું એટલે ખુશ છું.

મરાઠીમાં શિક્ષણ

આ શાળામાં દરેક વિષયને મરાઠીમાં સમજાવવામાં આવે છે. કારણ કે અહીં મોટા ભાગની દાદી મરાઠી છે. આજે આ શાળા એક મોટા સંકુલમાં ફેરવાઈ ગઈ છે. સીતાબાઈ દેશમુખ નામના દાદી તેના પૌત્ર સાથે બેસીને હોમવર્ક કરે છે. તે કહે છે અહીં ભણવાની મજા આવે છે. પુસ્તકની સાથે બીજા વિષયો જેમ કે, પોસ્ટ-બેન્ક અને સંસ્થાઓની પણ જાણકારી આપવામાં આવે છે. આ ટ્રસ્ટના સ્થાપક દીલિપ દલાલ કહે છે કે, મને ગર્વ થાય છે જ્યારે ગામની દાદીઓ આ રીતે અભ્યાસ કરીને પગભર થાય છે.

કોઈ ડોનેશન નહીં

દીલિપ દલાલ કહે છે કે, આ પ્રકારના અભ્યાસ માટે હું કોઈ પ્રકારનું ડોનેશલ લેતો નથી. આ ઉપરાંત શાળાની ફીની રકમ પણ એટલી બધી વધારે નથી. હવે તો આસપાસના ગામમાંથી પણ દાદી અહીં આવીને અભ્યાસ કરી રહી છે. સ્કૂલના પરિસરમાં દરેક દાદીએ એક ઝાડ ઊગાડેલું છે. જેનું તે જતન કરે છે. એટલું જ નહીં આ સંસ્થા દાદીઓના પિકનિકનું પણ આયોજન કરે છે. જેમાં તેઓ કોઈ મોટા શહેરની મુલાકાત લે છે અને આનંદ કરે છે.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2E74AYi

No comments:

Post a Comment

Pages