મતદાન પછી મોદી પર તીખો પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યા બાદ જીત કોની થશે તેનો જવાબ આપ્યો છે. રાહુલે ઓરંગજેબ જેલ સ્થિત એન. પી. સિનિયર સેકન્ડરી સ્કૂલના પોલિંગ બૂથ પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો છે, રાહુલે મોદી પર નફરતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને કહ્યું- નરેન્દ્ર મોદી નફરતનો ઉપયોગ કરે છે, અમે પ્રેમનો ઉપયોગ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે પ્રેમની જીત થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રાહુલે ગણાવ્યા પ્રજાના મુદ્દા
Congress President Rahul Gandhi after casting his vote: The election was fought on key issues including demonetization, farmer problems, Gabbar Singh Tax and corruption in #Rafale. Narendra Modi used hatred in the campaign and we used love and I am confident love will win pic.twitter.com/gE1BgvQzPc
— ANI (@ANI) May 12, 2019
રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી 3-4 મુદ્દાઓ પર લડવામાં આવી જેમાં જનતાના મુદ્દા છે, કોંગ્રેસના નહીં. તેમણે કહ્યું કે પહેલો મુદ્દો બેરોજગારીનો છે. બીજો મુદ્દો ખેડૂતોની પરેશાનીનો છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ત્રીજો મુદ્દો નોટબંધી છે અને ચોથો ભ્રષ્ટાચાર-રફાલ-અનિલ અંબાણીનો છે.
તમે કેટલી બેઠકો જીતશો?

રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમની કેટલી બેઠકો આવશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ તેના પર કશું બોલશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષે મીડિયાનો આભાર માનીને કહ્યું કે ચૂંટણી લગભગ પૂરી થવાના આરે છે અને સારી રીતે જવાબદારી નિભાવી છે.
હવે અંતિમ તબક્કો બાકી

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું ચે. આ તબક્કાની સાથે 483 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ જશે. માત્ર 59 બેઠકો બચશે, જેના માટે 7મા અને અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના મતોની ગણતરી 23મી મેના રોજ થશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WD21o3
No comments:
Post a Comment