માત્ર 48 કલાકમાં ભારત-પાક.ની ટિકિટો વેચાઈ ગઈ

નવી દિલ્હીઃ બોર્ડર પર તણાવ છતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ પ્રત્યે લોકોનો પ્રેમ ઓછો નથી થયો. તેનું તાજું સબૂત વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે થનારી લડતથી બધી ટિકિટ માત્ર 48 કલાકની અંદર વેચાઈ ગઈ. જણાવી દઈએ કે વર્લ્ડકપ 2019 ઈંગ્લેન્ડમાં યોજાવાનો છે. કટ્ટર દુશ્મન ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેચ રમાવાની છે. માનચેસ્ટરમાં રહેલી ઓલ્ડ ટ્રાફોર્ડ સ્ટેડિયમમાં આ મુકાબલો થવાનો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અન્ય મેચોમાં માટે નથી આટલો ક્રેઝ

જાણકારી મુજબ આ મેચની ડિમાન્ટ એટલી છે કે બધી ટિકિટ માત્ર 48 કલાકની અંદર જ વેંચાઈ ગઈ. સાથે જ એમ પણ જાણવા મળ્યું કે મેચ સાથે જોડાયેલી જાણકારી લેવા માટે આયોજનકર્તાઓને જે ફોન્સ થઈ રહ્યા છે તે મોટાભાગે ભારતીયોના જ છે. આ જ મેદાન પર 26 જૂને ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડીઝ સાથે થવાનો છે. જોકે તેના પ્રત્યે લોકોમાં આવું જુનૂન જોવા નથી મળ્યું.
મેચની એક રાત પહેલા મેદાનમાં હશે કોન્સર્ટ

વર્લ્ડકપના આયોજનકર્તા હવે માનવા લાગ્યા છે કે ભારત અને પાકિસ્તાન મુકાબલામાં જે માહોલ હશે તે ઈંગ્લેન્ડ અને ભારતની મેચમાં પણ નહીં થાય. જણાવી દઈએ કે આ સ્ટેડિયમમાં છેલ્લીવાર ભારતે ઈંગ્લેન્ડ સામે ટી20 મેચ રમી હતી. મળતી જાણકારી મુજબ આ મોટી મેચમાં એક રાત પહેલા ભારત આર્મીનો એક કોન્સર્ટ હશે, જેમાં જાણી પંજાબી સિંગર ગુરુ રંધાવા પહોંચશે.
ભારત વર્લ્ડકપમાં PAK સામે ક્યારેય નથી હાર્યું

માત્ર વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યું નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 ટક્કર થઈ છે, આ બધી મેચોમાં ભારતની જીત થઈ છે. ટી20 વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન ભારતને ક્યારેય હરાવી શક્યું નથી. બંને વચ્ચે રમાયેલી 5 મેચોમાંથી બધી ભારતે જીતી છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2JlGaNR
No comments:
Post a Comment