Latest

Monday, May 6, 2019

અખાત્રીજઃ દસ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, જાણો સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત

પવિત્ર દિવસ છે અખાત્રીજઃ

સાતમી મેના રોજ અખાત્રીજ છે. વૈશાખ મહિનાની અક્ષય તૃતિયાને ખૂબ જ શુભ દિવસ માવામાં આવે છે. આ દિવસને સર્વસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. જે રીતે ધનતેરસને શુભ મનાય છે એ રીતે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અખાત્રીજનું વિશેષ મહત્વ છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ સમય કે મુહૂર્ત જોવાની જરૂર નથી.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

આ વર્ષે બની રહ્યો છે શુભ સંયોગઃ

આ વખતે અખાત્રીજે એક દાયકા પછી ખૂબ જ સુંદર, શુભ અને અદભૂત યોગ બનવા જઈ રહ્યો છે. આ વખતે અખાત્રીજે ચાર મોટા ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજે સૌથી મોટા ચાર ગ્રહ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત હશે. આ દુર્લભ યોગ છે અને તેને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ અગાઉ અખાત્રીજે આવો યોગ 2003માં બન્યો હતો.

અખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્તઃ

હિન્દુ માન્યતા અનુસાર અખાત્રીજે જે શુભ કામ કે ખરીદી કરાય તેનો ક્ષય નથી થતો. એટલે જ આ દિવસે સોનુ ખરીદવાનું મહત્વ છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે શુભ મુહૂર્તમાં સોનુ ખરીદી ઘરે લાવે છે તેના ઘરે લક્ષ્મીજીનો વાસ થાય છે. આ અખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગી 26 મિનિટથી શરૂ થઈ રાત્રે 11 વાગી 47 મિનિટ છે. પૂજા માટેનું મુહૂર્ત સવારે 5.40થી બપોરે 1247 સુધી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/308xrF0

No comments:

Post a Comment

Pages