બીમારીનો ભોગ બની આ ટીવી એક્ટ્રેસ
ટીવી સીરિયલ ઉતરણ, બેલનવાલી બહૂ અને નાગિન 3 જેવા શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ ખુલાસો કર્યો છે કે તે હાલ એક બીમારી સામે ઝઝુમી રહી છે. રશ્મિએ પોતે આ અંગે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો. રશ્મિ દેસાઈએ જણાવ્યું કે તેને સ્કિનને લગતી બીમારી થઈ ગઈ છે જેના કારણે તેનું વજન પણ વધી ગયું છે. એટલું જ નહીં રશ્મિને આ બીમારીએ એટલી પરેશાન કરી દીધી છે કે તેને ઘર બહાર નીકળવાની પણ ડોક્ટરે ના પાડી હતી, કારણ કે તડકાના કારણે તેની સમસ્યા વધી શકે છે.
છેલ્લા 4 મહિનાથી ચાલી રહી છે સારવાર

રશ્મિ દેસાઈએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, ‘છેલ્લા કેટલાક મહિનાથી હું હેલ્થને લગતી તકલીફથી પરેશાની ભોગવી રહી છું. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં મને સોરાયસિસ વિશે જાણ થઈ. આ એક સ્કિન સાથે જોડાયેલી બીમારી છે જેને ઠીક થવામાં થોડો સમય લાગે છે પરંતુ તે પૂરી રીતે ઠીક થતી નથી. છેલ્લા ચાર મહિનાથી હું સ્ટેરોઈડ ટ્રીટમેન્ટ પર હતી. જેના કારણે મારું વજન વધી ગયું હતું’.
‘ટેન્શનના કારણે આ તકલીફ થાય છે’

રશ્મિએ આગળ જણાવ્યું કે, ‘આ તકલીફ ટેન્શનના કારણે વધે છે. હું જે પ્રોફેશનમાં છું તેમાં ચહેરો જ બધું છે. તેવામાં તણાવથી દૂર રહેવું શક્ય નથી’. રશ્મિ દેસાઈ હાલ તો બીમારીના કારણે વધી ગયેલા વજનને ઓછું કરવામાં લાગી છે.
‘વજન ઉતારવાનો પ્રયાસ કરી રહી છું’

રશ્મિ દેસાઈએ કહ્યું કે, ‘હું તેવા લોકોને જવાબ નથી આપતી જેઓ મારા વજન પર ટિપ્પણી કરે છે. હું હસીને આગળ નીકળી જાઉ છું. વજન ઘટાડવું સરળ નથી પરંતુ હું મહેનત કરી રહી છું. મને વજન ઓછું કરવામાં કોઈ તકલીફ નથી. મારુ કામ મને ફોકસ કરવા માટે મોટિવેટ કરે છે. હાલ તો હું સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરી શકું તેમ નથી’.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2J3Xacr
No comments:
Post a Comment