નવી દિલ્હી:લોકસભાની ચૂંટણીમાં રવિવારે છેલ્લેથી બીજા તબક્કામાં દિલ્હી સહિતનાં સાત રાજ્યોમાં 50 બેઠકો માટે સરેરાશ 63 ટકાથી વધુ મતદાન થયું હતું, જે 2014ના 65 ટકાના આંકને વટાવી દે તેવી સંભાવના છે. જોકે પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામમાં ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. બિહાર અને મધ્યપ્રદેશમાં ટકાવારીમાં બે ટકાનો વધારો થયો હતો. જોકે દિલ્હીમાં ટકાવારીમાં નજીવો ઘટાડો થયો હતો.
આજના મતદાન સાથે 543માંથી આશરે 89 ટકા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે. 19 મેના રોજ મતદાનના અંતિમ તબક્કામાં બાકીની 59 બેઠકો માટે મતદાન થશે. યુપીમાં 14, હરિયાણામાં તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 8, ઝારખંડમાં ચાર બે અને દિલ્હીમાં તમામ સાત બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ વડા રાહુલ ગાંધી, યુપીએનાં ચેરપરસન સોનિયા ગાંધી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મત આપ્યો હતો.
હરિયાણા અને દિલ્હીમાં મતદાન પર તમામની નજર હતી કારણ કે આ બે રાજ્યોમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 2014માં ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો પર જીત્યો હતો પણ છ મહિના પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે પરાજય થયો હતો.
રવિવારે જે 59 બેઠકો માટે મતદાન થયું તેમાંની મોટા ભાગની બેઠકો પર ભાજપે 2017માં વિજય મેળવ્યો હતો. પણ 2019માં ભાજપ સામે કટ્ટર સ્પર્ધા હોવાથી આ વિજયરથ આગળ વધે કે કેમ તે શંકા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/30eCBiQ
No comments:
Post a Comment