Latest

Friday, May 17, 2019

બંધ કારમાં AC ચાલું કરીને બેસતા હોય તો સાવધાન, સીટમાં બેઠાં-બેઠાં જ મોત આવી શકે

બંધ કારમાં ગૂંગળામણથી થઈ શકે મોત

કારમાં એસીની ઠંડી તમારા શ્વાસને થંભાવી શકે છે. મેરઠ જોનમાં એક વર્ષમાં બંધ કારમાં એસી ચાલુ કરીને સૂવા કે આરામ કરનારા 35 લોકોનો મૃત્યુ થયા છે. પોલીસે આ મોતોને શંકાસ્પદ માનીને તપાસ કરાવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે તેમનું મૃત્યુ કારમાં ગૂંગળામણથી થયું છે. આ ઘટનાઓને જોઈને પોલીસ પણ હેરાન છે. પોલીસે ફોરેન્સિક એક્સપર્ટ પાસેથી સલાહ લઈને લોકોને બંધ કારમાં એસી કરીને સૂવા પર સાવધાની રહેવા માટે જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બંધ કારમાં AC કરવાથી આવી શકે મોત

ડોક્ટર્સના કહેવા મુજબ બંધ કારમાં એસી ચાલુ કરવાથી મોનોઓક્સાઈડ ગેસ ઝેરી બની જાય છે. જેના કારણે કારમાં બેઠેલી વ્યક્તિનું 30 કે 45 મિનિટમાં ગળુ સુકાવા લાગે છે. અવાજ બેસી જાય છે. આ બાદ શરીર કામ કરતું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ નશામાં હોય તો તે સૂઈ જાય છે. ધીમે-ધીમે હાર્ટ કામ કરવાનું બંધ થઈ જાય છે.

શું કહે છે ડોક્ટર્સ

ફિઝિશિયન ડો. તનુરાજ સિરોહી જણાવે છે, બંધ કારમાં એસી સાથે આવતો ગેસ ધીમે-ધીમે શરીરના અંદર જાય છે. જો વ્યક્તિ ઊંઘતો હોય તો તેને બિલકુલ ધ્યાન નહીં રહે કે તેના શરીરમાં ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે. શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી શ્વાસ લેવામાં મુશ્કેલ થાય છે અને ઘણીવાર ગૂંગળામણ થવાથી મોત થઈ જાય છે.

કારના કાચ ખોલીને રાખો

તેમણે જણાવ્યું કે જો કારમાં એસી ચાલુ રહે છે તો કાચનો થોડો ખોલી નાખો. આમ કરવાથી કાર્બન ડાયોક્સાઈડ બહાર જશે અને ઓક્સિજન અંદર આવશે. તેનાથી કારમાં બેસેલી વ્યક્તિને શ્વાસ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. ઉપરાંત એસીના કારણે અંદરનો ભાગ વધારે ઠંડો થઈ જાય છે, જ્યારે એન્જિન વધારે ગરમ થવા લાગે છે, આથી વધારે એસી ચલાવવાથી દુર્ઘટના થવાની આશંકા વધી જાય છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2W6PM65

No comments:

Post a Comment

Pages