Latest

Thursday, May 2, 2019

જાણો, ATMમાં અટકે રૂપિયા તો વળતર મેળવવા શું કરવું?

આ વર્ષે બેન્કિંગ લોકપાલને 16 હજાર ફરિયાદો મળી

તમારી સાથે પણ ક્યારેક તો એવું બન્યું જ હશે કે એટીએમમાંથી રૂપિયા ન નીકળ્યા હોય, પણ અકાઉન્ટમાંથી બેલેન્સ કપાઈ ગયું હોય. નાણાકીય વર્ષ 2018માં બેન્કિંગ લોકપાલ કાર્યાલયને આવી 16,000 ફરિયાદો મળી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી બહાર પડાયેલા ડેટા મુજબ, એટીએમ સબંધિત ફરિયાદોમાં ગત વર્ષની સરખામણીમાં 50 ટકાનો વધારો થયો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

નિયમ શું છે?

જો એટીએમ ટ્રાન્જેક્શન ફેલ થઈ જવા છતાં તમારા અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જાય છે તો જે બેંકનું કાર્ડ હોય તે બેંક એ રૂપિયા તમારા ખાતામાં પાછા જમા કરી દે છે. સામાન્ય રીતે કેટલાક કલાકો કે દિવસોની અંદર રૂપિયા તમારા અકાઉન્ટમાં પહોંચી જાય છે, પરંતુ જો ફરિયાદ કર્યા બાદ કામકાજના 7 દિવસોમાં તમારા અકાઉન્ટમાં પૈસા ન આવે તો પ્રતિ દિવસ 100 રૂપિયાના દરે વળતર મળે છે. આ નિયમ 1 જુલાઈ, 2011થી પ્રભાવી છે. જો એટીએમ ટ્રાન્જેક્શન ફેલ થવા છતાં અકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ જાય, તો તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ…

નિયમ-1

એવી સ્થિતિમાં જેટલી જલદી શક્ય હોય કાર્ડ આપનારી બેંકમાં ફરિયાદ કરો, પછી ભલે એટીએમ તમારા બેંકનું હોય કે પછી અન્ય બેંકનું.

નિયમ-2

રિઝર્વ બેંક મુજબ, બેંકોને એટીએમ સબંધિત અધિકારીઓ, ટોલ ફ્રી નંબર, હેલ્પ ડેસ્ક નંબર ડિસ્પ્લે કરવાનો હોય છે.

નિયમ-3

જો એટીએમ ટ્રાન્જેક્શન ફેલ થઈ જવા છતાં અકાઉન્ટમાં રૂપિયા કપાઈ જાય તો જે બેંકનું કાર્ડ હોય તે બેંકે 7 વર્કિંગ ડેની અંદર રૂપિયા અકાઉન્ટમાં પાછા જમા કરવાના હોય છે.

નિયમ-4

1 જુલાઈ, 2011થી લાગુ નિયમ મુજબ, જો ફરિયાદના 7 દિવસની અંદર તમારા અકાઉન્ટમાં પૈસા પાછા જમા નથી થતા તો બેંક તમને પ્રતિ દિવસ 100 રૂપિયાના હિસાબે વળતર પણ આપે છે. તેના માટે કસ્ટમરે દાવો કરવાની જરૂર નથી. જોકે, વળતર માટે કસ્ટમરે ટ્રાન્જેક્શનના 30 દિવસની અંદર ફરિયાદ નોંધાવવી પડે છે.

નિયમ-5

જો નિર્ધારિત સમયમાં ફરિયાદનો ઉકેલ નથી આવતો કે ગ્રાહકને સંતોષ નથી મળતો તો તે બેંક તરફથી જવાબ મળ્યાના 30 દિવસની અંદર કે બેંક તરફથી જવાબ ન મળવાની સ્થિતિમાં ફરિયાદના 30 દિવસની અંદર બેન્કિંગ લોકપાલની પાસે ફરિયાદ નોંધાવી શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Y7iiSB

No comments:

Post a Comment

Pages