Latest

Thursday, May 2, 2019

ગોરખનાથ મંદિરમાં છુપાયેલા છે અદ્ભૂત રહસ્ય, મુગલરાજાએ બે વાર તોડ્યું હતું દેવાલય

મંદિરનો ઈતિહાસ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલું ગોરખનાથ મંદિર નાથમઠ સમુહનું એક મંદિર છે. મધ્યયુગના સંત ગોરખનાથ પરથી આ મંદિરનું નામ ગોરખનાથ રાખવામાં આવ્યું છે. સંત ગોરખનાથ એક તપસ્વી હતા. જે ભારતભરમાં યાત્રા કરતા અને નાથ સંપ્રદાયના ગ્રંથના લેખક પણ હતા. નાથ પરંપરા મત્સ્યેન્દ્રનાથ ગુરુએ સ્થાપી હતી. આ મંદિરમાં એક વિશાળ પરિસર છે જ્યાં નાના-મોટા અનેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. જ્યાં ગુરુ મત્સ્યેન્દ્રનાથ તપસ્યા કરતા હતા ત્યાં આજે આ મંદિર આવેલું છે. શ્રદ્ધાંજલીને સમર્પિત આ મંદિરમાં અનેક ભક્તો દરરોજ દર્શન કરવા માટે આવે છે.

શિષ્ય હતા ગોરખનાથ

સંત મત્સ્યેન્દ્રના શિષ્ય હતા ગોરખનાથ. શિષ્ય સાથે મળીને ગુરુ મત્સ્યેન્દ્રનાથે યોગ સ્કૂલનું નિર્માણ કરાવ્યું હતું. જે યોગ અભ્યાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગોરખપુરમાં ગોરખનાથ મંદિર નાથ યોગીઓ માટે તથા તપસ્વીઓ માટે સૌથી મહત્ત્વનું આસ્થાનું કેન્દ્ર છે. એવું પણ માનવામાં આવે છે કે, સમાધી મંદિર અને ગોરખનાથની ગાદી ગોરખપુરમાં આવેલા આ જાણીતા મંદિરમાં એક સાથે છે. ઉત્તર પ્રદેશના તરાઈ ક્ષેત્રમાં આવેલું છે.

ચમત્કારિક છે મંદિર

ગુરુ ગોરખનાથ સાથે જોડાયેલી એક કથાનો ચમત્કાર છે આ મંદિર. જે ભક્ત ગોરખનાથ ચાલીસાના 12 વખત જાપ કરવાથી દિવ્ય જ્યોતિ અથવા ચમત્કારી શક્તિ સાથે ધન્ય થઈ જાય છે. મંદિરના રેકોર્ડ પરથી ખ્યાલ આવે છે કે, સમયની સાથે મંદિરના આકાર અને સંરચનામાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. મુગલ શાસનકાળ દરમિયાન આ મંદિરને અનેક વખત નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

બે વાર આકાર નષ્ટ થયો

પહેલા અલ્લાઉદ્દિન ખિલજી જેણે 14મી સદીમાં મંદિર પર આક્રમણ કર્યું અને ત્યાર બાદ 18મી સદીમાં ઈસ્લામી શાસક ઔરંગઝેબે નષ્ટ કર્યુ હતું.આમ બે વખત સંરચના નાશ પામી. આ મંદિર આજે પણ એટલું જ પવિત્ર માનવામાં આવે છે. દેશના અનેક રાજ્યમાંથી ભક્તો ગુરુ અને સંતના દર્શન કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે, હાલમાં છે મંદિરનો આકાર છે તે સ્વ. મહંત દિગ્વિજયનાથ અને હાલના મહંત અવૈદ્યનાથએ તૈયાર કરાવ્યો છે. એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ અહીં સાથે દર્શન કરવા માટે આવ્યા હતા.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2GWQNVT

No comments:

Post a Comment

Pages