Latest

Friday, May 3, 2019

ATM રૂપિયા ન આપતું હોવાની ફરિયાદો વધી



69155199

અશ્વિન મણિકંદન

મુંબઈ: ATMમાંથી રૂપિયા નીકળ્યા ન હોય તોપણ ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હોવાની સૌથી વધુ ફરિયાદો મળી રહી છે. નાણાકીય વર્ષ 2017-’18માં બેન્કિંગ ઓમ્બડ્સમેન ઓફિસોને ગ્રાહકોએ મળેલી કુલ ફરિયાદોમાંથી 16,000 ફરિયાદો (10 ટકા) “ATMમાંથી પૈસા ન નીકળવા છતાં ખાતામાંથી પૈસા કપાઈ ગયા” હોવાની હતી એમ ગયા સપ્તાહે RBIએ જાહેર કરેલી માહિતી પરથી જાણવા મળે છે. આ માહિતી એવું પણ દર્શાવે છે કે, ડેબિટ કાર્ડ અને ATM સંબંધિત ફરિયાદો 50 ટકા વધી હતી.

2008ની ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ, બેન્કોએ ATM રાખ્યું હોય તે કેબિનમાં હેલ્પલાઇન નંબરની માહિતી આપવી ફરજિયાત છે. જો કોઈ ગ્રાહકને ફરિયાદ હોય તો તે આ નંબર દ્વારા અથવા ઇ-મેઇલ દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી શકે છે. એક ખાનગી બેન્કરે કહ્યું હતું કે, “સામાન્ય રીતે, રિકોન્સિલિએશન પ્રોસેસ વખતે બેન્કોને આ‌ કેસ મળે છે. RBIના નિયમ પ્રમાણે, બેન્કોએ કોઈ પણ સંજોગોમાં ગ્રાહકની ફરિયાદ સાત દિવસમાં ઉકેલવી જરૂરી છે.”

જો બેન્ક ડેડલાઇનની અંદર ફરિયાદનું નિવારણ ન લાવે તો ગ્રાહક 30 દિવસની અંદર જે-તે બેન્કની ઓમ્બડ્સમેન ઓફિસમાં RBIના નિયમાનુસાર ફરિયાદ દાખલ કરી શકે છે. નોટબંધી બાદ અને ગ્રાહકોમાં જાગરૂકતા વધારવાના હેતુસર તાજેતરમાં ગામડાંમાં ATMની સંખ્યા વધવાને કારણે ફરિયાદોમાં વધારો થયો હોવાનું અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.

ATM બનાવતી કંપનીઓ જણાવે છે કે, ATMની સંખ્યા વધવાને કારણે ફરિયાદમાં વધારો થતો હોય તો તેનું પ્રાથમિક કારણ નેટવર્ક અને પાવર-રિલેટેડ નિષ્ફળતા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં ATMમાં આવી સમસ્યા વધારે રહે છે.

“મોટા ભાગના કેસમાં નેટવર્કને કારણે સમસ્યા સર્જાતી હોય છે કારણ કે, તમારા ટ્રાન્ઝેક્શનનો સમય પૂરો થઈ જાય છે પરંતુ ATMની સ્વિચ તો ચાલુ રહે છે અને તમારા ફોનમાં પૈસા કપાઈ ગયા હોવાનો મેસેજ આવે છે.

બીજા દિવસે રિકન્સિલિએશન પ્રોસેસ દરમિયાન બેન્કના ધ્યાનમાં આ ખામી આવે છે. ગ્રાહકોને મોટા ભાગે તો એકાદ દિવસમાં તેમના પૈસા પાછા મળી જ જાય છે. પરંતુ ગ્રાહકે તાત્કાલિક ફરિયાદ કરી દેવી જોઈએ એ‌વી હું સલાહ આપીશ.” એમ પૂણે સ્થિત ATM ટેક્‌નોલોજી કંપની સર્વત્ર ટેક્‌નોલોજીના સ્થાપક અને વાઇસ પ્રેસિડન્ટ મંદાર અગાશે કહે છે.

એમ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ એન્ડ સર્વિસિસના વાઇસ પ્રેસિડન્ટ (ટેક્‌નોલોજી) મનોહર ભોઈ કહે છે કે, “અમે એવા કેસ નોંધ્યા છે જેમાં ATMમાંથી ચોરીની મોડસ-ઓપરેન્ડી જોવા મળી છે, જેમાં ATM પૈસા આપે તેની અમુક સેકન્ડ પહેલાં જ ATMને સ્વિચ ઓફ કરવામાં આવે છે. આવા પ્રકારના ગુના ન થાય તે રીતે હવે મશીનનું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2GTfT6T

No comments:

Post a Comment

Pages