શાહરુખના ગૌરી સાથે લગ્ન થયા ત્યારે…

શાહરુખ ખાન આજે બોલિવૂડનો સુપરસ્ટાર છે અને અહીં સુધી પહોંચવા માટે શાહરુખે ખૂબ જ સંધર્ષ કર્યો છે. એક એવો પણ સમય હતો કે જ્યારે મુંબઈના રેલવે સ્ટેશન પર રાત પસાર કરી હતી. જ્યારે શાહરુખના ગૌરી સાથે લગ્ન થયા ત્યારે શાહરુખની આવક ખૂબ જ ઓછી હતી અને હનીમૂન પર કેવી રીતે જવું તે પણ એક પ્રશ્ન હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
હનીમૂન માટે પેરિસ જવાનું વચન આપ્યું હતું

શાહરુખ ખાને ગૌરીને એવું વચન આપ્યું હતું કે તે બંને હનીમૂન માટે પેરિસ જશે પણ શાહરુખ ગૌરીને હનીમૂન માટે દાર્જિલિંગ લઈ ગયો હતો. એક એવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાને જણાવ્યું કે તેણે ગૌરીને એવું વચન આપ્યું હતું કે તેઓ લગ્ન બાદ હનીમૂન માટે પેરિસ જશે અને એફિલ ટાવર જોશે. પણ તે સમયે શાહરુખ પાસે એટલા પૈસા નહોતા કે તે પેરિસની ટિકિટ ખરીદી શકે.
પેરિસની જગ્યાએ દાર્જિલિંગમાં હનીમૂન મનાવ્યું

તે સમયે શાહરુખ ખાન તેની ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેનનું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફિલ્મના એક ગીતના શૂટિંગ માટે તેને દાર્જિલિંગ જવાનું થયું. ત્યારે શાહરુખે વિચાર્યું કે ગૌરી તો ક્યારેય વિદેશ ફરવા માટે ગઈ નથી. અને જો હું તેને દાર્જિલિંગ ફરવા માટે લઈ જાઉં તો તેને શું ખબર પડશે કે આ પેરિસ છે કે બીજી કોઈ જગ્યા છે. અને આ રીતે શાહરુખ ખાને પેરિસની જગ્યાએ દાર્જિલિંગમાં હનીમૂન મનાવ્યું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UWiwd5
No comments:
Post a Comment