Latest

Thursday, May 2, 2019

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાના સિક્રેટ્સ લીક થઈ રહ્યા છે? 😮😮

ટીમ મેનેજમેન્ટ BCCIની નીતિથી નાખુશ

કે. શ્રીનિવાસ રાવ, મુંબઈઃ ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં ઈંગ્લેન્ડમાં યોજાનારા 2019ના વર્લ્ડકપની તૈયારી કરી રહી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ભારતીય કંટ્રોલ બોર્ડના હિતોના ટકરાવવાળી નીતિથી ખુશ નથી. બોર્ડની આ નીતિના કારણે આઈપીએલમાં કોચિંગ અને તેની સાથે જોડાયેલી અન્ય જોબ્સ માટે વિદેશી સ્ટાફને લેવામાં આવી રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

IPLમાં વિદેશી કોચથી વર્લ્ડકપમાં ભારતને નુકસાન

બોર્ડની આ નીતિથી સંતુષ્ટ ન હોવાના ઘણા કારણ છે. જરા વિચારો- ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈપીએલમાં હાલ દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે. આ ટીમના કોચ પદે રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગ આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ પણ હશે. આટલું જ નહીં પોન્ટીંગ સાથે જે અન્ય એનાલિસ્ટની ભૂમિકા ભજવે છે તે વ્યક્તિ શ્રીલંકાના શ્રીરામ રોમાયાજુલા છે, જે શ્રીલંકાની નેશનલ ટીમમાં પણ એનાલિસ્ટની ભૂમિકા ભજવે છે.

ભારતીય ખેલાડીઓની કમજોરી બહાર આવી શકે

એવામાં વિચારી શકાય છે કે આ બંને ભારતીય ખેલાડીઓની દરેક બારીકથી બારીક વાતને કેટલી સારી રીતે સમજતા હશે. જેમ કે ક્રિકેટર તરીકે શિખર ધવન માટે કઈ વસ્તુ સારી છે અને કેવા પ્રકારની પિચ તેને પરેશાન કરી શકે છે. આ ભારતીય ક્રિકેટ માટે સ્પષ્ટ રીતે સારી બાબત નથી. માત્ર શિખર જ નહીં ઋષભ પંત, પૃથ્વી શો, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓના પણ વિસ્તૃત ડેટા તેમની પાસે ઉપલબ્ધ છે.

અન્ય વિદેશી ટીમ સાથે જોડાયેલા કોચ IPLમાં

આવું જ અન્ય એક ઉદાહરણ ચેન્નઈના પ્રસન્ના અગોરામ છે, જે ક્રિકેટ સાઉથ આફ્રિકામાં એનાલિસ્ટ તરીકે જોડાયા છે. તે હાલમાં કિંગ્લ ઈલેવન પંજાબ સાથે મળીને કામ કરી રહ્યા છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમમાં પ્રસન્નાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જ્યારે પાછલા વર્ષે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર હતી, ત્યારે તેમના વિશે જાણવા મળ્યું હતું. પ્રસન્નાને હવે ભારતીય માહોલમાં 2 મહિના પસાર કરવાનો સમય મળ્યો છે. કદાચ આ વાતનો કોઈ યોગ્ય માનશે કે વર્લ્ડકપ જેવી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ (રિકી પોન્ટિંગ) ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન સાથે સમય વિતાવી રહ્યા છે. તે ક્રિકેટમાં તેમની બારીકિઓનું નિરિક્ષણ કરી રહ્યા છે. આ મામલે બીસીસીઆઈએ ખાસ નિમય બનાવવાની જરૂર છે કે જ્યારે આઈપીએલ સીઝન દરમિયાન ભારતના જે ખેલાડીઓ અને કોચોને આ લીગમાં જગ્યા નથી મળતી તેમને દુનિયાભરમાં આયોજિત અન્ય લીગમાં કે કોચિંગમાં અનુમતિ મળવી જોઈએ.

BCCIએ ખાસ નિયમ બનાવવાની જરૂર

આ મામલે બીસીસીઆઈની પોતાની નીતિઓ પર પણ ઘણા સવાલો ઉઠે છે. કારણ કે જો રાહુલ દ્રવિડ ભારત-એ અને અંડર-19 ટીમના કોચ હોતા કોઈ ફ્રેન્ચાઈજી સાથે જોડાય તો તેમના પર હિતોનો ટકરાવ બને છે. ઉદાહરણ તરીકે પ્રવીણ આમરે સૌથી સારા બેટિંગ કોચોમાંથી એક છે. પરંતુ માત્ર એટલા માટે કે તેઓ આઈપીએલની એક ટીમને કોચિંગ કરવા માગ છે તેઓ અન્ય કોઈ રાજ્ય કે અનસીએ સાથે મળીને કામ નથી કરી શકતા. પરંતુ ટોમ મૂડી સનરાઈઝર્સ સાથે પણ કોચિંગ કરી શકે છે અને કેરેબિયન પ્રીમિયર લીગમાં પણ. જો બીસીસીઆઈ ભારતીય કોચ પર નિયમ લગાવે છે તો પછી આવી સ્થિતિમાં વિદેશી કોચને પણ આવી સ્થિતિમાં કોચિંગ ન કરવી જોઈએ.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2GXk42Q

No comments:

Post a Comment

Pages