રેવન્યુના કાયદામાં સુધારાઃ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર હાલની પરિસ્થિતિમાં બિલ્ડરો અને ઈન્ડસ્ટ્રીની જરૂરિયાને ધ્યાનમાં રાખીને રેવન્યુને લગતા કાયદામાં સુધારા વધારા કરવા માંગે છે. આ સુધારા સૌથી પહેલા 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા સૂચવાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ સુધારાથી ગુજરાતમાં અટકી પડેલા ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં નવા પ્રાણ ફૂંકાશે. આ સુધારા જૂન મહિનાથી શરૂ થતા વિધાન સભાના સત્રમાં લાગુ પડાય તેવી શક્યતા છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
આવા ઉદ્યોગોએ જમીન માટે પ્રિમિયમ ચૂકવવું પડશેઃ

સુધારામાં ટેનન્સી એક્ટ (ભાડૂઆત માટેના કાયદા)ની 63 AAની કલમ અને રેવન્યુ કોડની 65 B કલમમાં સુધારા સૂચવાયા છે. આ કાયદા મુજબ કંપનીએ યુનિટ ન બનાવ્યું હોય અને ત્રણથી પાંચ વર્ષના ગાળામાં ઉત્પાદન શરૂ કર્યું હોય તો તે જમીન પર કબ્જો રાખી શકે છે. નવા કાયદા બાદ કંપનીએ આવી જમીન માટે પ્રિમિયમ ચૂકવવું પડશે. રાજ્ય સરકારનો આશય જો ઈન્ડસ્ટ્રી બોના ફાઈડ ઔદ્યોગિક કારણસર વેચવા માંગતી હોય તો તેના પર લાગતી 40 ટકાથી 100 ટકા જંત્રી માફ કરવાનો છે.
આ કારણે ખોટકાયા પ્રોજેક્ટ્સઃ

આ સમગ્ર મામલાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું, “કંપનીઓ આયોજન મુજબ ઈન્ડસ્ટ્રી બનાવી ન શકતા ગુજરાતમાં અનેક જગ્યાએ જમીનના વિશાળ ટુકડા વપરાયા વિનાના પડ્યા રહ્યા છે. અમુક કિસ્સામાં સેક્ટરની ડિમાન્ડ બદલાતા પ્રોજેક્ટની જરૂર જ ન રહી હોય તેવું પણ બને. અન્ય કેસમાં પર્યાવરણના કાયદા અને નવા નિયમોને કારણે પણ પ્રોજેક્ટ ન બની શક્યો હોય તેવું બને. અત્યારે જે પ્રસ્તાવિત નવા નિયમો છે તેના પર આવી વણવપરાયેલી જમીનને રિડેવલપ કરવામાં આવશે અને તેના વેચાણને પ્રોત્સાહન આપવામાં આવશે.”
સૂચનો પર કામ કરી રહી છે સરકારઃ

અત્યારે હાઈ પાવર કમિટી (HPC) આ સૂચનોને ધ્યાનમાં રાખીને ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ (GLRC) અને અન્ય કાયદામાં સુધારા માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. સરકાર તેના માધ્યમથી અનેક નવા સુધારા લાવવા માંગે છે. ડિપાર્ટમેન્ટ જમીનને લગતી પ્રક્રિયામાં ક્લિયરન્સનો સમયગાળો ઘટાડવા માટે પણ પ્રયત્નશીલ છે. આ અંગે એક ખૂબ જ સિનિયર અધિકારીએ જણાવ્યું, “પ્રસ્તાવિત સુધારા અગાઉ બે વાર મોકૂફ રખાયા છે. જો કે સરકાર તેને નજીકના ભવિષ્યમાં લાગુ પાડવા માંગે છે. આ માટે તાજેતરમાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં અનેક સૂચનો આવ્યા હતા.”
આ લોકો ઉઠાવી શકે ગેરફાયદોઃ

ઈન્ડસ્ટ્રીયલ હેતુથી જમીન લીધી હોય પરંતુ પછી ધંધો શરૂ કરવામાં નિષ્ફળતા મળી હોય તેવા ઉદ્યોગો પર પ્રિમિયમ રેટ લાદવાનો પ્રસ્તાવ છે. જે લોકો પાસે વિવાદમાં પડેલી જમીનો છે અને જે ભવિષ્યમાં બેઠા બેઠા પૈસા કમાવવા માટે જમીનો ભેગી કરી રહ્યા છે તેમના દ્વારા આ નવા ફેરફારોનો દુરઉપયોગ થવાની પણ શક્યતા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UTLaeS
No comments:
Post a Comment