Latest

Thursday, May 9, 2019

મંત્રીઓએ રુપાણીને આપ્યો રિપોર્ટ, આ વખતે રાજ્યમાં જળસંકટ ઘણું ગંભીર

ગાંધીનગર: રાજ્યના જુદા-જુદા ભાગોમાં દુકાળની સ્થિતિનો તકાજો મેળવવા મોકલવામાં આવેલા મંત્રીઓએ ચિંતાજનક સ્થિતિનો અહેવાલ આપ્યો છે. બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં મંત્રીઓએ પીવાના પાણીની સમસ્યા તેમજ પાણીની તંગીને કારણે પશુપાલકોને પડી રહેલી મુશ્કેલી અંગેનો ચિતાર આપ્યો હતો. જે-તે જિલ્લાનો ચાર્જ ધરાવતા સેક્રેટરીઓને અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની સ્થિતિનો અંદાજ મેળવવાનું કામ સોંપવામાં આવ્યં હતું. આ અંગે રિપોર્ટ બનાવ્યા બાદ તેઓ ફરી જે-તે જિલ્લાના ઈનચાર્જ મંત્રીઓ સાથે અછતગ્રસ્ત વિસ્તારોમાં જશે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

મંત્રીઓએ પાણીની તંગી તેમજ પશુપાલક સમુદાયના લોકોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે સીએમને રિપોક્ટ આપ્યો હતો. જેના આધારે રુપાણીએ અછતગ્રસ્ત જિલ્લાઓમાં પાણીના ટેન્કરોની ફ્રિકવન્સી વધારવા માટે સૂચના આપી છે. હાલ માથાદીઠ દૈનિક 30 લિટર પાણીની સમે સીએમે 50-70 લિટર પાણી પૂરું પાડવા જણાવ્યું છે. રુપાણીએ અધિકારીઓને સમય વેડફ્યા વિના બુધવારથી જ ટેન્કરોની ફ્રિકવન્સી વધારી દેવા માટે કહ્યું હતું.

સીએમે ચીફ સેક્રેટરી જેએન સિંઘને જુદાજુદા જિલ્લાના ઈન્ચાર્જ તમામ સેક્રેટરીઓને પાણીની સ્થિતિનો રિવ્યૂ કરવા અને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર, જો વધુ ફંડની જરુર પડે તો સરકાર તેને રિલીઝ કરવા તૈયાર છે. સેક્રેટરીઓને પાણીની સ્થિતિ માટે વિગતે રિપોર્ટ બનાવવા કહ્યું છે. પોતે જિલ્લાની મુલાકાત લીધા બાદ તમામ સેક્રેટરી ફરી મંત્રી સાથે અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

કેબિનેટ મિટિંગમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, મંત્રીઓના રિપોર્ટના આધારે સીએમે નવા કૂવા ખોદવાની અને તેમાં જો જરુર હોય તો તાત્કાલિક પંપ મૂકવાની તાકીદ કરી છે. પોતાના હોમટાઉન જસદણમાં દર છ દિવસે એકવાર પાણી આવતું હોવાના આક્ષેપ અંગે બાવળિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે, જસદણમાં લોકોને દર ત્રીજા-ચોથા દિવસે પૂરતું પાણી મળી જ રહ્યું છે. કેટલાક વોર્ડ કે ચોક્કસ ગામમાં ટેકનિકલ સમસ્યાને કારણે કદાચ તકલીફ થઈ હશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Ygfoe4

No comments:

Post a Comment

Pages